જુનાગઢ : ઓઝત નદી કાંઠે બિસ્માર પાળાનું સમારકામ શરૂ, ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થાય તેવી ખેડૂતોની માંગ...

જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના તૂટેલાં પાળાની સિંચાઈ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

New Update
  • દર વર્ષે ભારે વરસાદને લઈ ઓઝત નદી વહે છે બે કાંઠે

  • પાણી વહેતા પાળા તૂટવાની ઘટનાથી સર્જાતો જળબંબાકાર

  • સિંચાઈ વિભાગ દ્વારા ચાલતું બિસ્માર પાળાનું સમારકામ

  • પાળા એક મીટર વધુ ઊંચો બનાવવામાં આવે તેવી માંગ

  • ચોમાસા પહેલાં પાળો તૈયાર થાય તેવી ખેડૂતોની માંગ

જુનાગઢના ઘેડ પંથકમાં દર વર્ષે ભારે વરસાદને લઈને ઓઝત નદી 2 કાંઠે વહેતા પાળા તૂટવાની ઘટનાથી જળબંબાકાર સર્જાય છે. જોકેહાલ સિંચાઈ વિભાગ દ્વારા બિસ્માર પાળાનું સમારકામ ચાલી રહ્યું છેત્યારે આ પાળા એક મીટર વધુ ઊંચો બનાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના તૂટેલાં પાળાની સિંચાઈ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષે 1 કરોડથી વધુ ખર્ચે પથ્થરના બ્લોક (ગેબિયન) સાથે સ્ટેપવાળો પાળો બનાવવામાં આવ્યો હતો. પરંતુ બન્યું એવું કેઅનુભવી ખેડૂતોના કહેવા છતાં આ પાળો અન્ય પાળાની સરખામણીએ 1 મીટર જેટલો નીચો બનાવવામાં આવ્યો હતો. જેને લઈ ચોમાસાની શરૂઆતના પ્રથમ પુરના કારણે નદીનું પાણી પાળાને ઓળંગતા પાળાની પાછળના ભાગની માટીનું ધોવાણ થતાં તૂટી પડ્યો હતો. આ સાથે જ મોટા પ્રમાણમાં ખેતીની જમીનમાં પાણી ફરી વળતાં ખેડૂતોને ફરી નુકશાન થવા પામ્યું હતું.

જોકેહવે ચાલું વર્ષે ચોમાસું નજીક આવી રહ્યું છેત્યારે પાળાનું પુનઃ સમારકામ કરવામાં આવતાં પુરના લેવલની સ્થિતિનો અનુભવ ધરાવતાં ખેડૂતોએ અગાઉ આપેલી સલાહ મુજબ પાળો વધુ 1 મીટર ઉંચો કરવા રજૂઆત કરાતાં કામગીરી ખોરંભે પડી હતીત્યારે ફરીથી આ પાળો તૂટે નહીં તેવી ખેડૂતોની ટેકનિકલી સલાહ ગળે ઉત્તરતાં સિંચાઈ વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરે ખેડૂતોની વાત ગ્રાહ્ય રાખી હતીઅને પાળાને એક મીટર ઊંચો બનવવા નિર્ણય લીધો હતો. તો બીજી તરફખેડૂતોએ ચોમાસા પહેલાં પાળો તૈયાર થાય તેવી માંગ કરી છે.

 

Read the Next Article

રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

New Update
red alrt

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

બે વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.