જૂનાગઢ : મકરસંક્રાંતિ નિમિત્તે સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા યોજાઈ મમરાના લાડુ ખાવાની સ્પર્ધા

મમરાના લાડુ ખાવા સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી,સતત 13 વર્ષથી સિનિયર સીટીઝન ગૃપ દ્વારા મકરસંક્રાંતિ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે

New Update

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે મમરાના લાડુ ખાવાની અનોખી સ્પર્ધા

સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા યોજાય છે આ સ્પર્ધા

19 ભાઈઓ અને  16 બહેનોએ લીધો સ્પર્ધામાં ભાગ

13 વર્ષથી સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા કરાય છે આયોજન

60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કરવામાં આવે છે આયોજન 

જુનાગઢ સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા મકરસંક્રાંતિ પ્રસંગની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે મમરાના લાડુની હરીફાઈ યોજવામાં આવી હતી.જૂનાગઢના સિનિયર  સિટીઝન્સ મંડળ દ્વારા મકરસંક્રાંતિ પર્વની સૌથી અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે મોટી સંખ્યામાં સિનિયર  સિટીઝન્સ ભેગા મળીને મકરસંક્રાંતિની ઉજવણીમાં જોડાયા હતા.

ખાસ કરીને આ પ્રસંગે મમરાના લાડુ ખાવા સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી,સતત 13 વર્ષથી સિનિયર સીટીઝન ગૃપ દ્વારા મકરસંક્રાંતિ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.જેમાં ઉત્સાહભેર સ્પર્ધકોએ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Read the Next Article

અમરેલી : સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી ખેતીની જમીનનું થયું ધોવાણ,22 ફૂટના ખાડા પડતા ખેતી માટે મુશ્કેલ

અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા

New Update
  • સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી તારાજી

  • ભારે વરસાદને પગલે ખેતીમાં પહોંચ્યું નુકશાન

  • વરસાદી પાણીમાં ખેતીની જમીનનું થયું ધોવાણ

  • ખેતરમાં પાણીની જમાવટથી પડ્યા ઉંડા ખાડા

  • રોડના ધોવાણ સાથે પુર સંરક્ષણ દીવાલ ધરાશાયી

અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં વરસેલા અનરાધાર વરસાદને પગલે ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું છે,કારણે ખેતીની જમીનનું જ ધોવાણ થઇ ગયું છે,વધુમાં વરસાદી પાણી ખેતરમાં જમાવટ કરતા અંદાજીત  22 ફુટના ખાડા પણ જમીનમાં પડવાના કારણે ખેડૂતના માથે મુશ્કેલીનું આભ ફાટ્યું છે.

 અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ હતી,અને ઘોબા,પીપરડીહીપાવડલીમેંકડા ગામોમાં ખેતીની જમીનો પર પાણી ફરી વળતા આશરે 7 થી 8 હજાર વીઘા ખેતીની જમીનોના ધોવાણ થયા હતા.ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નેતા પ્રતાપ દુધાત ખેડૂતોની વ્હારે પહોંચ્યા હતા.અને  ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા હતા.

સાવરકુંડલાના શેત્રુજી નદી અને મેરામણ નદી અને ફૂલકું નદી કાંઠાના ઘોબાપીપરડીફીફાદમેંકડા ગામોની જમીનો સાવ નષ્ટ થઈ ગઈ છે.ખેડૂતોએ મગફળી કપાસના વાવેતર કર્યા તે વાવેતર તો ઠીક પણ ખેતીની જમીન જ આખી ધોવાઈ ગઈ છે.અને ખેતરોમાં વરસાદી પાણીએ જમાવટ કરતા જમીનોમાં 22 ફૂટના ખાડાઓ પડ્યા છે. જેના કારણે ખેડૂતો માટે આ પરિસ્થિતિ આફત રૂપ બની ગઈ છે.

સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામના ખેડૂતે 50 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું. DAP ખાતરબિયારણ નાખ્યા બાદ વરસાદ અને પૂર પ્રકોપથી જમીન જ નષ્ટ થઈ જતા વાવેતર થઈ શકે તેવી સ્થિતિ જ રહી નથી. જ્યારે માત્ર ફીફાદ ગામની 3 હજાર વીઘા જમીનનું ધોવાણ થયું છે.જ્યારે ધોબા પીપરડી અને મેંકડા સાથે 7 થી 8 હજાર વીઘામાં  જમીન ધોવાઈ જતા ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.ત્યારે ગ્રામીણ માર્ગોના રસ્તાઓ તો ધોવાઈ જ ગયા છે,સાથે રોડ કાંઠે પૂર સંરક્ષણ દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. આ ઉપરાંત એક બ્રિજ પણ ધરાશાયી થઈ ગયો હોય ત્યારે આ નુકસાનની પરિસ્થિતિમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને ખેડૂતોને આશ્વાસન આપીને  ખેતીની જમીનોની સ્થિતિ અંગે સરકાર સામે હૈયાવરાળ ઠાલવી હતી.