જુનાગઢ : ગિરનારના પહાડી વિસ્તારમાંથી ચંદનના વૃક્ષોની ચોરી, ચંદન ચોરોને પકડવા જતાં વનકર્મીઓ પર હુમલો...

જુનાગઢના ગિરનારના જંગલ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી ચંદનના વૃક્ષોની ચોરી થતી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ દાતારના પહાડી વિસ્તારમાંથી 7 જેટલા ચંદનના વૃક્ષોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી,

New Update
  • ગિરનારની પહાડીમાંથી ચંદનના વૃક્ષોની થઈ ચોરી

  • 7 જેટલા ચંદનના વૃક્ષોની ચોરી થઈ હોવાની ઘટના

  • વન વિભાગ સતત 2 દિવસથી કરી રહ્યું છે પેટ્રોલિંગ

  • ચંદન ચોરોને પકડવા જતાં વનકર્મીઓ પર હુમલો

  • ચંદનના લાકડા સહિતનો મુદ્દામાલ હસ્તગત કરાયો

જુનાગઢના ગિરનારની પહાડીમાંથી ચંદનના વૃક્ષોની ચોરી થયા હોવાનો મામલો પ્રકાશમાં આવતા વન વિભાગ હરકતમાં આવ્યું છે.

જુનાગઢના ગિરનારના જંગલ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી ચંદનના વૃક્ષોની ચોરી થતી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ દાતારના પહાડી વિસ્તારમાંથી 7 જેટલા ચંદનના વૃક્ષોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતીત્યારે તસ્કરોને ઝડપી લેવા માટે વન વિભાગ સતત 2 દિવસથી પેટ્રોલિંગ કરી રહ્યું છે. જેમાં ચંદન ચોરોને પકડવા જતાં તેઓએ કુહાડી અને તીક્ષ્ણ હથિયારો વડે વનકર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. જોકેચંદનના લાકડા સહિતનો તમામ મુદ્દામાલ વનકર્મીઓએ હસ્તગત કર્યો હતો. આ અંગે ગિરનાર રેન્જના નાયબ વન સંરક્ષકએ વિસ્તૃત માહિતી આપી હતી.

Read the Next Article

સુરેન્દ્રનગર : ખેડૂતોના પ્રશ્નો અંગે કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ,રોડ પર ધરણા બાદ કચેરીનો ઘેરાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

New Update

કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નો અંગે કલેકટર કચેરીનો ઘેરાવ

ખેડુત અધિકાર યાત્રાનું કરાયું આયોજન

રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરાય માંગ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતરપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભઅને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. કલેકટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓ એ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.