જૂનાગઢ: કેશોદમાં નોકરી આપવાની લાલચે દુષ્કર્મની ઘટનાથી ચકચાર,મહિલા સહિત ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એક મહિલા હવસખોરોનો શિકાર બની હતી,પુત્રીને નોકરીની લાલચ આપીને તેની માતા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે.

New Update

જૂનાગઢના કેશોદનો બનાવ 

પુત્રીને નોકરી આપવાની આપી હતી લાલચ

અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરીની આપી હતી લાલચ 

પુત્રીની માતા બની દુષ્કર્મનો ભોગ 

પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ 

જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એક મહિલા હવસખોરોનો શિકાર બની હતી,પુત્રીને નોકરીની લાલચ આપીને તેની માતા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ બનાવમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એક યુવતીને કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી,એક ભેજાબાજ મહિલા દ્વારા યુવતીની સાથે નરેન્દ્ર ઝાલા અને રજનીકાંત વાછાણી નામના કોન્ટ્રાકટરો સાથે મુલાકાત કરાવી હતી,આ બંને શખ્સોએ નોકરીની લાલચ આપીને યુવતીની માતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.જે અંગેની પોલીસ ફરિયાદ કેશોદ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી,પોલીસે આ ગુન્હામાં જવાબદાર મહિલા તેમજ નરેન્દ્ર ઝાલા અને રજનીકાંત વાછાણીની ધરપકડ કરી હતી,અને વધુ તપાસ શરૂ કરી હતી. 
Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.