જૂનાગઢ: કેશોદમાં નોકરી આપવાની લાલચે દુષ્કર્મની ઘટનાથી ચકચાર,મહિલા સહિત ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એક મહિલા હવસખોરોનો શિકાર બની હતી,પુત્રીને નોકરીની લાલચ આપીને તેની માતા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે.

New Update

જૂનાગઢના કેશોદનો બનાવ 

પુત્રીને નોકરી આપવાની આપી હતી લાલચ

અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરીની આપી હતી લાલચ 

પુત્રીની માતા બની દુષ્કર્મનો ભોગ 

પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ 

જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એક મહિલા હવસખોરોનો શિકાર બની હતી,પુત્રીને નોકરીની લાલચ આપીને તેની માતા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ બનાવમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એક યુવતીને કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી,એક ભેજાબાજ મહિલા દ્વારા યુવતીની સાથે નરેન્દ્ર ઝાલા અને રજનીકાંત વાછાણી નામના કોન્ટ્રાકટરો સાથે મુલાકાત કરાવી હતી,આ બંને શખ્સોએ નોકરીની લાલચ આપીને યુવતીની માતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.જે અંગેની પોલીસ ફરિયાદ કેશોદ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી,પોલીસે આ ગુન્હામાં જવાબદાર મહિલા તેમજ નરેન્દ્ર ઝાલા અને રજનીકાંત વાછાણીની ધરપકડ કરી હતી,અને વધુ તપાસ શરૂ કરી હતી. 
Read the Next Article

સુરત : શહેર ભવ્ય તિરંગા યાત્રામાં તરબોળ, "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની" થીમ પર હજારો લોકો ઉમટ્યા

આ યાત્રા હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતો

New Update
  • ભવ્ય તિરંગા યાત્રાનું કરાયું આયોજન

  • યાત્રામાં હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતાની થીમ

  • 1.8 કિ.મી લાંબા રૂટને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો

  • કેન્દ્રીય મંત્રી અને ગૃહમંત્રીએ યાત્રાનું કરાયું પ્રસ્થાન

  • હાથમાં તિરંગો લઈને નાગરિકો જોડાયા યાત્રામાં  

સુરત શહેરના વાય જંક્શનથી આર.આર.મોલ સુધી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

સુરત શહેર ભવ્ય તિરંગા યાત્રાના રંગે રંગાયું હતું.આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર ઉમટી પડ્યા હતાજેના કારણે જાણે આખું સુરત તિરંગાના રંગે રંગાઈ ગયું હોય તેવું અદ્ભુત  દૃશ્ય સર્જાયું હતું.આ યાત્રા હર ઘર તિરંગાહર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતોજેને વાતાવરણમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ વધુ ઘેરો બનાવ્યો હતો.

તિરંગાયાત્રાનો શુભારંભ કરાવતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રાએ ગૌરવ યાત્રા છે.આઝાદી માટે અનેક લોકોએ શહીદી વહોરી છે,શહીદોના કુટુંબીજનોને યાદ કરીને તેમના પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.