જુનાગઢ : સિંહ દર્શન અને જૈવિક સૃષ્ટિને નિહાળવા સાસણ ગીર અભ્યારણમાં પ્રવાસીઓનો ધસારો...

હાલ ચાલી રહેલી નાતાલની રજાઓમાં જુનાગઢના સાસણ ગીર અભ્યારણમાં સિંહ દર્શન સહિતની મજા માણવા પ્રવાસીઓની ભારે ભીડ જામી છે.

New Update
  • નાતાલની રજાઓમાં ગીર અભ્યારણમાં પ્રવાસીઓનો ધસારો

  • સિંહ દર્શન સહિતની મજા માણવા પ્રવાસીઓની ભીડ જામી

  • જૈવિક સૃષ્ટિને નિહાળી હજારો પ્રવાસીઓ થયા છે અભિભૂત

  • અભ્યારણમાં સરકાર-ફોરેસ્ટ વિભાગે વિવિધ સુવિધા ઉભી કરી

  • અભ્યારણનો પ્રવાસ કરી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો

હાલ ચાલી રહેલી નાતાલની રજાઓમાં જુનાગઢના સાસણ ગીર અભ્યારણમાં સિંહ દર્શન સહિતની મજા માણવા પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. તો બીજી તરફસરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જુનાગઢનું સાસણ ફોરેસ્ટ ડેસ્ટિનેશન એટલે ટુરિસ્ટોનું પહેલી પસંદ સાસણના જંગલમાં ટુરીસ્ટો બહોળી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. સાસણમાં 400થી વધારે રિસોર્ટ અને હોટલો આવી છે. દર વર્ષે રજાઓમાં હોટલોમાં ફૂલ બુકિંગ હોય છે. ગીર જંગલ 1400થી વધારે ચોરસ કિલો મીટરમાં ફેલાયેલું છે. વિવિધતાથી ભરપૂર એવા આ ગીર વિસ્તારમાં 600થી વધુ વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. 338થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છેજ્યારે કીટકોની 2000થી વધુ પ્રજાતીઓ નિવાસ કરે છેત્યારે નાતાલની રજાઓમાં સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાસણ ફોરેસ્ટ ઉમટ્યા છે. સરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સારી સુવિધાઓ ઉભી કરવામાં આવતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જુનાગઢના સાસણમાં ગીર અભ્યારણમાં થતી સફારીનું એકમાત્ર પ્રવેશદ્વાર સાસણ ગીર છે. સમગ્ર ભારત તેમજ વિશ્વના અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓમાં સાસણ સિંહ દર્શન માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દર વર્ષે વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી લાખો પ્રવાસીઓ ગીર અભ્યારણની મુલાકાત લઈને ગિરના એશિયાઈ સિંહો તેમજ જૈવિક સૃષ્ટિને નિહાળવા માટે આવે છે. અહી સિંહ ઉપરાંત દીપડોકાટવરણીજંગલી બિલાડીઘોરખોદીયુંકીડીખાવમગરઅજગર જેવા વન્ય પ્રાણીઓનું સાસણ ગીર નિવાસસ્થાન છે. જેને લઇને દર વર્ષે દેશ વિદેશના લાખો પ્રવાસીઓને સાસણ ગીર ખેંચી લાવે છેત્યારે નાતાલની રજાઓમાં તા. 25 ડિસેમ્બરથી લઈને 31 ડીસેમ્બર દરમિયાન હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સાસણની મુલાકાત લેવા આવી રહ્યા છે.

Read the Next Article

જૂનાગઢ : વિસાવદરમાં પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.61 ટકા નોંધાયું મતદાન

વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન થયું

New Update
Visavar by election

જૂનાગઢ જિલ્લાની વિસાવદર તેમજ મેહસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન થયું હતું.એકાદ ઘટનાને બાદ કરતા બંને બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. 

જૂનાગઢ જિલ્લાની વિસાવદર અને મહેસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા પાછળ બે અલગ અલગ કારણ છે. વિસાવદરમાં વર્ષ 2022માં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતાજોકે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યો હતો.

પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયાજેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ હતી. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતા પેટાચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો હતો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશન સોંલકીનું નિધન થતાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

આજરોજ યોજાયેલા વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.જેમાં જાણવા મળ્યા મુજબ સાંજના 5 કલાક સુધીમાં વિસાવદરમાં 54.61 ટકા જ્યારે કડીમાં 54.49 ટકા મતદાન નોંધાયું હતું,અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા સાંજે 6 કલાક દરમિયાન 60 ટકા જેટલું મતદાન નોંધાવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.અને ભાજપ,કોંગ્રેસ તેમજ આપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા ભર્યો જંગ બની ગયો છે.