જુનાગઢ : અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મુકી દીધા, કુદરતના પ્રકોપ સામે ઇજારેદારોના હૈયે ધગધગતિ દુઃખની ધીમી આગ...

કમોસમી વરસાદની અણધારી આફતે જુનાગઢ જિલ્લાના ખેડૂતોના સપનાને ચૂરેચૂર કરી નાખ્યા છે. જે ખેડૂતોના આંસુઓની વેદના અને તેમના મોઢે આવેલા કોળિયો છીનવી લીધો

New Update
  • કમોસમી વરસાદની અણધારી આફતે સામે ખેડૂતો લાચાર

  • ભારે પવન સાથે માવઠું આવતા ખેડૂતોના સપના રોળાયા

  • વાડી સહિત ખેતરમાં વિવિધ પાકોને પહોચ્યું મોટું નુકશાન

  • અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મુકી દીધા

  • સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરાય તેવી માંગ ઉઠી 

Advertisment W3.CSS

એક તરફ ઝળહળતો તડકો અને બીજી તરફ કમોસમી વરસાદની અણધારી આફતે જુનાગઢ જિલ્લાના ખેડૂતોના સપનાને ચૂરેચૂર કરી નાખ્યા છે. જે ખેડૂતોના આંસુઓની વેદના અને તેમના મોઢે આવેલા કોળિયાને છીનવી લેનારી કુદરતની નિર્દયતાની કહાની કહે છે.

જ્યારે કેરીનો પાક આંબે આવ્યોત્યારે ખેડૂતોની નજર તેમના બગીચાઓમાં લટકતી લીલીછમ કેરીઓ પર હતી. આ કેરીઓ ફક્ત ફળ નહોતીપણ ખેડૂતોની મહેનતઆશા અને આગામી દિવસોની ખુશીનું પ્રતીક હતી. ઇજારેદારોએ લાખો રૂપિયાનું રોકાણ કરીને બગીચાઓ લીધા હતા. એ વિચાર સાથે કેઆ વર્ષે બજારમાં કેરીઓની ઊંચી કિંમત તેમના ઘરમાં સુખની વર્ષા લાવશે. પરંતુ કુદરતનો ક્રૂર ખેલ તો જુઓ..! અચાનક આવેલા કમોસમી વરસાદેગાજવીજ અને કરા સાથેઆ કેરીઓને ઝાડ પરથી ખેરવી દીધી છે.. ગુજરાતના ઘણા વિસ્તારોમાંખાસ કરીને રાજકોટઅમદાવાદવડોદરાઅને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડા જેવા માહોલ સાથે આવેલા અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મુકી દીધા છે.

તો બીજી તરફલાખો રૂપિયાનું દેવું લઈને બગીચાઓ ભાડે લેનારા આ ઇજારેદારો હવે દેવાના બોજ નીચે દબાઈ રહ્યા છે. તેઓએ વિચાર્યું હતું કેઆ વર્ષે કેરીનો સારો ભાવ મળશેઘરમાં દીકરીના લગ્નની તૈયારી કરીશુંપણ હવે બે હાથ ખાલી છે, ”એક ઇજારેદાર નિરાશાભર્યા સ્વરે કહ્યું હતું કેઅનેક ઇજારેદારો હવે બેંકોના દેવા અને ઘરની જવાબદારીઓના બોજ નીચે દબાઈ ગયા છે. કુદરતની નિર્દયતા અને સરકારી મદદની રાહમાં કમોસમી વરસાદે ખેડૂતોના હાથમાંથી માત્ર પાક જ નથી છીનવ્યોપરંતુ તેમની હિંમત અને આશા પણ લૂંટી લીધી છે. રાજ્યમાં ભારે પવનવીજળીના કડાકાઅને કરા સાથેના વરસાદે ખેતરોમાં તારાજી સર્જી છે.

આ વરસાદે રાજ્યમાં અનેક લોકોના જીવ લીધા અને ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતો હવે સરકાર તરફ ટકી રહ્યા છે. આશા સાથે કેતેમને આ આફતમાંથી બહાર નીકળવા માટે આર્થિક મદદ મળશે. પરંતુસરકારી મદદની રાહ જોવી એ પણ ખેડૂતો માટે એક લાંબી અને દુઃખદાયી પ્રક્રિયા બની રહી છે. ખેડૂતોની આક્રંદભરી અપીલઅમે ખેતરોમાં રાત-દિવસ ઝઝૂમ્યાપરસેવો પાડ્યોપણ આજે ખેડૂતોના હાથમાં ફક્ત નિરાશા છે.

સરકાર મદદ નહીં કરે તો દેવાના બોજ નીચે દબાઈ જશે તેમ જણાવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કેખેડૂતોની આ વેદના હવે ગીર પંથકના ગામડાઓમાં હૈયાફાટ રુદન સમી બની ગઈ છે. દરેક ખેતરમાંદરેક ઝાડ નીચેદરેક ખેડૂતની આંખોમાં ફક્ત એક જ વાત છે કેકુદરતે તેમની સાથે ન્યાય ન કર્યોઅને કુદરતની કારમી થપાટે આજે જમીન નીચે કેરીઓ નહીં. પરંતુ ખેડૂતો અને ઇજારેદારના સપનાઓ રોળાય ગયા છે.

Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં