જુનાગઢ : અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મુકી દીધા, કુદરતના પ્રકોપ સામે ઇજારેદારોના હૈયે ધગધગતિ દુઃખની ધીમી આગ...

કમોસમી વરસાદની અણધારી આફતે જુનાગઢ જિલ્લાના ખેડૂતોના સપનાને ચૂરેચૂર કરી નાખ્યા છે. જે ખેડૂતોના આંસુઓની વેદના અને તેમના મોઢે આવેલા કોળિયો છીનવી લીધો

New Update
  • કમોસમી વરસાદની અણધારી આફતે સામે ખેડૂતો લાચાર

  • ભારે પવન સાથે માવઠું આવતા ખેડૂતોના સપના રોળાયા

  • વાડી સહિત ખેતરમાં વિવિધ પાકોને પહોચ્યું મોટું નુકશાન

  • અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મુકી દીધા

  • સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરાય તેવી માંગ ઉઠી

એક તરફ ઝળહળતો તડકો અને બીજી તરફ કમોસમી વરસાદની અણધારી આફતે જુનાગઢ જિલ્લાના ખેડૂતોના સપનાને ચૂરેચૂર કરી નાખ્યા છે. જે ખેડૂતોના આંસુઓની વેદના અને તેમના મોઢે આવેલા કોળિયાને છીનવી લેનારી કુદરતની નિર્દયતાની કહાની કહે છે.

જ્યારે કેરીનો પાક આંબે આવ્યોત્યારે ખેડૂતોની નજર તેમના બગીચાઓમાં લટકતી લીલીછમ કેરીઓ પર હતી. આ કેરીઓ ફક્ત ફળ નહોતીપણ ખેડૂતોની મહેનતઆશા અને આગામી દિવસોની ખુશીનું પ્રતીક હતી. ઇજારેદારોએ લાખો રૂપિયાનું રોકાણ કરીને બગીચાઓ લીધા હતા. એ વિચાર સાથે કેઆ વર્ષે બજારમાં કેરીઓની ઊંચી કિંમત તેમના ઘરમાં સુખની વર્ષા લાવશે. પરંતુ કુદરતનો ક્રૂર ખેલ તો જુઓ..! અચાનક આવેલા કમોસમી વરસાદેગાજવીજ અને કરા સાથેઆ કેરીઓને ઝાડ પરથી ખેરવી દીધી છે.. ગુજરાતના ઘણા વિસ્તારોમાંખાસ કરીને રાજકોટઅમદાવાદવડોદરાઅને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડા જેવા માહોલ સાથે આવેલા અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મુકી દીધા છે.

તો બીજી તરફલાખો રૂપિયાનું દેવું લઈને બગીચાઓ ભાડે લેનારા આ ઇજારેદારો હવે દેવાના બોજ નીચે દબાઈ રહ્યા છે. તેઓએ વિચાર્યું હતું કેઆ વર્ષે કેરીનો સારો ભાવ મળશેઘરમાં દીકરીના લગ્નની તૈયારી કરીશુંપણ હવે બે હાથ ખાલી છે, ”એક ઇજારેદાર નિરાશાભર્યા સ્વરે કહ્યું હતું કેઅનેક ઇજારેદારો હવે બેંકોના દેવા અને ઘરની જવાબદારીઓના બોજ નીચે દબાઈ ગયા છે. કુદરતની નિર્દયતા અને સરકારી મદદની રાહમાં કમોસમી વરસાદે ખેડૂતોના હાથમાંથી માત્ર પાક જ નથી છીનવ્યોપરંતુ તેમની હિંમત અને આશા પણ લૂંટી લીધી છે. રાજ્યમાં ભારે પવનવીજળીના કડાકાઅને કરા સાથેના વરસાદે ખેતરોમાં તારાજી સર્જી છે.

આ વરસાદે રાજ્યમાં અનેક લોકોના જીવ લીધા અને ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતો હવે સરકાર તરફ ટકી રહ્યા છે. આશા સાથે કેતેમને આ આફતમાંથી બહાર નીકળવા માટે આર્થિક મદદ મળશે. પરંતુસરકારી મદદની રાહ જોવી એ પણ ખેડૂતો માટે એક લાંબી અને દુઃખદાયી પ્રક્રિયા બની રહી છે. ખેડૂતોની આક્રંદભરી અપીલઅમે ખેતરોમાં રાત-દિવસ ઝઝૂમ્યાપરસેવો પાડ્યોપણ આજે ખેડૂતોના હાથમાં ફક્ત નિરાશા છે.

સરકાર મદદ નહીં કરે તો દેવાના બોજ નીચે દબાઈ જશે તેમ જણાવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કેખેડૂતોની આ વેદના હવે ગીર પંથકના ગામડાઓમાં હૈયાફાટ રુદન સમી બની ગઈ છે. દરેક ખેતરમાંદરેક ઝાડ નીચેદરેક ખેડૂતની આંખોમાં ફક્ત એક જ વાત છે કેકુદરતે તેમની સાથે ન્યાય ન કર્યોઅને કુદરતની કારમી થપાટે આજે જમીન નીચે કેરીઓ નહીં. પરંતુ ખેડૂતો અને ઇજારેદારના સપનાઓ રોળાય ગયા છે.

Read the Next Article

ભરૂચ : પીઢ કવિ સ્વ. પ્રભુદત્ત ભટ્ટને "બુધ કવિ સભા" અંતર્ગત શબ્દાંજલિ સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરાય...

"બુધ કવિ સભા"માં હાજર દિગ્ગજ અને નવોદિત કવિઓ અને કવયિત્રીઓ દ્વારા આ સાહિત્ય જગતના વડલા સમાન સ્વ. પ્રભુદત્ત ભટ્ટ સાહેબ પ્રત્યેની આગવી સંવેદનાઓ અને શબ્દાંજલિ પાઠવી હતી.

New Update
gja;;

ભૃગુકચ્છ પ્રદેશના સાહિત્ય જગતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને ભરૂચમાં ચાલતી અગ્રેસર સાહિત્યિક સંસ્થાઓ જેવી કેબુધ કવિ-સભાશબ્દ સાંનિધ્ય અને ભરૂચ જિલ્લા સાહિત્ય વર્તુળ જેવી સંસ્થાઓ માટે સ્થાપકપ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક તરીકે જોડાયેલા પીઢ કવિસાહિત્યકાર સ્વ. પ્રભુદત્ત ભટ્ટના આકસ્મિક અવસાન બાદ છવાયેલી ગમગીનીને અનુસરીને ગત તા. 2જી જુલાઈ 2025ને બુધવારના રોજ "બુધ કવિ-સભા" અંતર્ગત તેઓને શબ્દાંજલિ આપવા એક'શ્રદ્ધાસુમનકાર્યક્રમનું આયોજન શ્રવણ વિદ્યાધામ ખાતે થયું હતું.

"બુધ કવિ સભા"માં હાજર દિગ્ગજ અને નવોદિત કવિઓ અને કવયિત્રીઓ દ્વારા આ સાહિત્ય જગતના વડલા સમાન સ્વ. પ્રભુદત્ત ભટ્ટ સાહેબ પ્રત્યેની આગવી સંવેદનાઓ અને શબ્દાંજલિ પાઠવી હતી. સદર બુધ કવિ-સભાએ'શ્રદ્ધાસુમનઉપક્રમમાં હાજર રહેલ સૌ શિક્ષણ જગતના અગ્રણીઓરાજ્યના તેમજ ભરૂચ જિલ્લાના પ્રથમ હરોળના કવિઓ અને કવયિત્રીઓએ કરેલ સ્વ. પ્રભુદત્ત ભટ્ટના કાવ્ય સંગ્રહોમાંથી ચુનંદા કાવ્યોનું કાવ્યપઠન અને સ્વરચિત રચનાઓ થકી પાઠવેલ ભાવપૂર્ણ શબ્દાંજલિ અર્પણ કરી કવિકર્મનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

વ્યથા ના કદી મ્હોં જુબાની રહી છે,

તમારી કથામાં ખુમારી રહી છે.

ભલે હોય નાનાં છતાં માન આપો,

તમારી ગજબ‌ ખાનદાની રહી છે.

તમે વ્હાલ આપોસદા ખ્યાલ રાખો,

મહોબત તમારી નિશાની રહી છે.

તમે શ્વાસ લીધાં કવિતા સ્વરૂપે,

તમારી અલગ જિંદગાની રહી છે.

તમારા સ્મરણમાં નયન મારા ભીનાં,

ને ભીની ને ભીની કહાની રહી છે.

'અભિગમ'

આ સભામાં ઉંમર અથવા પ્રતિકૂળ સંજોગોને કારણે હાજર ન રહી શકનાર સર્વે મહાનુભાવોના ભાવ સંદેશાઓ વાંચનમાં લઈ સવિશેષ નોંધ લીધી હતી. શ્રવણ વિદ્યાધામ તરફથી સતત ગુજરાતી ભાષાની વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે પીઠબળ પૂરું પાડવામાં અગ્રેસર હોવાને કારણે અભિભૂત "બુધ કવિ-સભા"ના સભ્યો દ્વારા વ્યક્ત કૃતજ્ઞતાભાવ નોંધાવે છે. સ્વ. પ્રભુદત્ત ભટ્ટના મૃત્યુ પર્યંતની આ સમગ્ર'શ્રદ્ધાસુમનબેઠકનું સુંદર સંચાલન કરતાં જે.સી.વ્યાસ ભાવવિભોર થયા હતાજ્યારે જતીન પરમારે સૌનો આભાર વ્યક્ત કરી હાજર રહેલ દિવંગતના કુટુંબીજનોની વિશેષ હાજરી વચ્ચે સ્વ. પ્રભુદત્ત ભટ્ટના આત્માને દિવ્ય પરમ શાંતિ પાઠવી અંતરપ્રાર્થી બન્યા હતા.