જુનાગઢ : મેંદરડામાં ડોક્ટરની ખાલી જગ્યાઓથી લોકહિત પર સંકટ, 47 ગામના દર્દીઓ સારવાર માટે ભટક્યા..!

મેંદરડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 7 મહિનાથી એક પણ કાયમી MBBS ડોક્ટર ફરજ પર નથી. હાલ બધાજ ડોક્ટરો ડેપ્યુટેશન અથવા અસ્થાયી ધોરણે કામ કરી રહ્યા છે

New Update
  • મેંદરડા તાલુકામાં આરોગ્ય સેવા ગંભીર રીતે ખોરવાય

  • સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની કાયમી જગ્યા ખાલી

  • 47 ગામોના નાગરિકોને આવતો હાલાકી વેઠવાનો વારો

  • અનેક દર્દીઓને આરોગ્ય સેવા સામે તકલીફોનો સામનો

  • વહેલી તકે તબીબની નિમણૂંક કરવા સ્થાનિકોની રજૂઆત 

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આરોગ્ય સેવા છેલ્લા ઘણાં સમયથી ગંભીર રીતે ખોરવાઈ રહી છે. ખાસ કરીને મેંદરડા તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી MBBS ડોક્ટરની કાયમી જગ્યાઓ ખાલી પડેલી છે. આ ઘટનાથી ન માત્ર શહેરના લોકોપણ આસપાસના 47 ગામોના નાગરિકોને પણ ગંભીર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

જુનાગઢ જિલ્લાના મેંદરડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 7 મહિનાથી એક પણ કાયમી MBBS ડોક્ટર ફરજ પર નથી. હાલ બધાજ ડોક્ટરો ડેપ્યુટેશન અથવા અસ્થાયી ધોરણે કામ કરી રહ્યા છે. આ બદલતી સેવાઓના કારણે દર્દીઓને સતત અવ્યવસ્થાનો સામનો કરવો પડે છેજ્યારે ગંભીર કે ઇમરજન્સી કેસમાં તેમને જૂનાગઢ શહેર સુધી દોડવું પડે છે. આ સમસ્યા અંગે હવે લોકોમાં અસંતોષ ઉગ્ર બની રહ્યો છે.

મેંદરડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ વિઠલાણી સહિત ગામના આગેવાનોએ સ્થાનિક રાજકીય પક્ષોના સહયોગથી મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવી તાત્કાલિક કાયમી ડોક્ટર નિમણૂક કરવાની માંગ કરી છે. તેઓએ જણાવ્યું કે, “અમે અગાઉ પણ આ મુદ્દે અનેક રજૂઆતો કરી છેપણ તંત્ર તરફથી કોઈ પગલું લેવાતું નથી. હવે લોકોના ધીરજનો પાળો તૂટી રહ્યો છે.” મેંદરડા સાણંદ તરફથી ગીર સાસણ જવા માટેનું પ્રવેશદ્વાર છે. તહેવારોવેકેશન અને લગ્ન સિઝનમાં અહીં હજારો પ્રવાસીઓ આવતા હોય છે.

વર્ષ 2023-24માં CHCમાં દરરોજ આશરે 300 દર્દીઓ સારવાર માટે આવતા હતા. પરંતુ હાલ કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓની સંખ્યા ઘટી રહી છેઅને લોકો મજબૂરીમાં ખાનગી હોસ્પિટલ કે જૂનાગઢ તરફ દોડે છેજ્યારે અન્ય નજીકના તાલુકાઓમાં 3થી વધુ કાયમી MBBS ડોક્ટરો ફરજ બજાવી રહ્યા છેત્યારે મેંદરડા CHCમાં એક પણ કાયમી ડોક્ટર નથી. લોકો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે, “શું મેંદરડા તાલુકો તંત્ર માટે ઓરમાયો છે?” સ્થાનિકોએ ચિમકી આપી છે કેજો તાત્કાલિક ડોક્ટરની કાયમી નિમણૂક નહીં થાય તો ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

મેંદરડા CHCમાં રોજબરોજ અકસ્માત કેઈમરજન્સી કેસો પણ આવતા હોય છેત્યારે કાયમી ડોક્ટર ન હોવાના કારણે ઘણીવાર સારવારમાં વિલંબ થાય છેજે દર્દી માટે જીવલેણ બની શકે છે. તાલુકા મથક પર આરોગ્ય સેવાની આ સ્થિતિે તંત્રના આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

Read the Next Article

રાજ્યમાં પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની કરાઇ આગાહી, એક સાથે ત્રણ સિસ્ટમ થઈ સક્રિય

ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ સહિતના કેટલાક વિસ્તારને છોડીને ધીમી ધારે

New Update
rain varsad

ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ સહિતના કેટલાક વિસ્તારને છોડીને ધીમી ધારે ખેતીના પાકને અનુકૂળ વરસાદ વરસતાં ખેડૂતો ખુશખુશાલ છે.

હવામાન વિભાગે  રાજ્યમાં પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.  આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, દ્વારકા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.  સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. દાહોદ, પંચમહાલ, નવસારીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. જેમાં પાકિસ્તાનની પાસે    સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે.  નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને  સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.