ખેડા : રૂ. 2.65 લાખના ખર્ચે મહેમદાવાદના 5 ગામોમાં નિર્માણ પામનાર રસ્તાનું કેબિનેટ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

મહેમદાવાદ તાલુકામાં ઘોડાસર અને મોટા અજબપુરા ગામે રૂ. ૨.૬૫ લાખના ખર્ચે, કુલ ૫.૫ કિમી અંતરના ૩ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

New Update
ખેડા : રૂ. 2.65 લાખના ખર્ચે મહેમદાવાદના 5 ગામોમાં નિર્માણ પામનાર રસ્તાનું કેબિનેટ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત મહેમદાવાદ તાલુકામાં ઘોડાસર અને મોટા અજબપુરા ગામે રૂ. ૨.૬૫ લાખના ખર્ચે, કુલ ૫.૫ કિમી અંતરના ૩ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Advertisment

ઘોડાસર ખાતે કુલ ૨ રસ્તાઓ પ્રાથમિક શાળાથી વાંટા વિસ્તાર થઇને હિરચંદની મુવાડી જતો રસ્તો; રબારી ચોતરાથી ઇન્દિરાનગર, ચૌહાણ ફળિયા તરફ થઇને મેઇન રોડને જોડતો રસ્તો અને મોટા અજબપૂરા ખાતે મોટા અજબપૂરાથી જીજાપુરાના રસ્તાનો સમાવેશ થાય છે. ઉપરાંત કેબિનેટ મંત્રી અર્જુસિંહ ચૌહાણે મહેમદાવાદ CHC સેન્ટર ખાતે રૂ. ૧૬ લાખના ખર્ચે, ૨ બેડ ધરાવતું ડાયાલિસિસ સેન્ટર અને નાણા પંચાચત તાલુકા કક્ષાની ગ્રાંટમાંથી ઘોડાસર તથા કાચ્છાઈ ગામે રૂ. ૧૪ લાખના ખર્ચે, ૨ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે, સૌને સાથે લઈ ચાલતી સરકારના પ્રામાણિક પ્રયત્નોથી આજે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, રોડ-રસ્તા સહિતની તમામ સુવિધાઓ મળતા ગામડાઓ સશકત અને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધ્યા છે. કિશાન સન્માન નિધિ અને ગંગા સ્વરૂપા યોજનાથી ખેડૂત અને વિધવા મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિણામો આવ્યા છે. વોકલ ફોર લોકલ હેતુ મહેમદાવાદ તાલુકામાં નવા શરૂ કરવામાં આવેલ ૪૨ ઔધોગિક યુનિટ દ્વારા સ્થાનિક રોજગાર નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત મહેમદાવાદ ખાતે ડાયાલિસીસ સેન્ટર બનતાં નાગરીકોને મળતી આરોગ્યની સુવિધામાં વધારો થશે એવો વિશ્વાસ રાજ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment