કચ્છ : નવરાત્રીની આઠમે માતાના મઢ ખાતે પત્રિ વિધિ યોજાય, દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા...
કચ્છમાં નવરાત્રીની આઠમના રોજ માતાના મઢ ખાતે પત્રિ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કચ્છમાં નવરાત્રીની આઠમના રોજ માતાના મઢ ખાતે પત્રિ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
રામદેવપીરનો મંડપ મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારના સમયે મંડપ ખડો થયો તે દરમિયાન એકાએક નીચે પટકાયો હતો. મંડપ મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રીત થયા હતા
પોરબંદર ચોપાટી પર એક મોટી દુર્ઘટના બની છે. ચોપટી પર મંડપ પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે આ દુર્ઘટનામાં 10થી વધુ લોકો ઘાયલ થવાના અહેવાલ મળી રહ્યા છે. રામદેવજી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંડપ બાંધતી વખતે દોરી તૂટતા આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.
આજે બુધવારે ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરનો મંડપ મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારના સમયે મંડપ ખડો થયો તે દરમિયાન એકાએક નીચે પટકાયો હતો. મંડપ મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રીત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને દૂર કર્યા હતા.