મહીસાગર : અયોધ્યા રામજી મંદિરના નિર્માણ માટે પટણાના ભેજાબાજોએ બનાવી ફેક વેબસાઇટ, જુઓ પછી શું થયું..!

New Update
મહીસાગર : અયોધ્યા રામજી મંદિરના નિર્માણ માટે પટણાના ભેજાબાજોએ બનાવી ફેક વેબસાઇટ, જુઓ પછી શું થયું..!

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત રામજી મંદિરના નિર્માણ માટે દાન સ્વીકારવાની ફેક વેબસાઇટ બનાવી દાતાઓ પાસેથી લાખોની ઓનલાઇન ઠગાઇ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ત્યારે લોકો સાથે ઠગાઇ કરતી ત્રિપુટીને મહીસાગર જીલ્લા SOG પોલીસ દ્વારા બીહારના પટણા ખાતેથી ઝડપી પાડવામાં આવી છે.

શ્રી રામ જન્મભૂમિ ખાતે રામ લલ્લાના ભવ્ય મંદિર માટે ભારતના ખૂણે-ખૂણેથી લોકોએ દાનની રકમ ઓનલાઈન, ચેક તેમજ રૂબરૂ આવી જમા કરાવી રહ્યા છે, ત્યારે મહીસાગર જિલ્લામાંથી પણ રામભક્તો દ્વારા કરોડો રૂપિયા ઓનલાઈન દાન કરવામાં આવ્યા છે. લુણાવાડાની મહિલા દ્વારા તેમના પતિના એકાઉન્ટમાંથી 21 હજાર જેટલી રકમ રામ જન્મભૂમિ અયોધ્યાની વેબસાઇટ પર ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી હતી.

જોકે, થોડાંક દિવસ બાદ ખ્યાલ આવ્યો કે, આ રકમ રામ જન્મભૂમિ અયોધ્યાની ઓરીજનલ વેબસાઇટ પર નહીં, પણ કોઈ ફેક વેબસાઇટ પર જમા થઈ ગઈ છે. જેમાં એકાઉન્ટ ધારકનું નામ બિટ્ટુકુમાર બતાવતા લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે મહીસાગર જિલ્લા SOG પોલીસ અને સાઇબર સેલ દ્વારા સદર આરોપીનું લોકેશન બિહારનું પટણા બતાવતા મહીસાગર જિલ્લા પોલીસની ટીમ બિહાર પહોચી જયોતીશકુમાર, રોહીતકુમાર અને વિકાસકુમારની ધરપકડ કરી હતી. મહીસાગર SOG પોલીસ દ્વારા આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓ https://srirammandirtrust.com નામની ખોટી વેબસાઇટ બનાવી દાન પેટેના રૂપિયા 9,56,568 જેટલી રકમની રાજ્ય તેમજ આંતરરાજ્યોમાં લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું જણાવ્યુ હતું.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.