નર્મદા : SOU ખાતે પ્રજાસત્તાક પર્વના સાક્ષી બન્યા અભિનેતા આમિર ખાન,પ્રતિમાને નિહાળી થયા અભિભૂત

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,

New Update
  • SOU ખાતે પ્રજાસત્તાક પર્વની કરાઈ ઉજવણી 

  • ફિલ્મ અભિનેતા આમિર ખાન બન્યા મહેમાન 

  • આમિર ખાને રાષ્ટ્રધ્વજને આપી સલામી 

  • SOUના વિવિધ પ્રોજેક્ટની લીધી મુલાકાત 

  • આમિર ખાને વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળની કરી સરાહના  

Advertisment

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ફિલ્મ સ્ટાર આમિર ખાન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને ડાયરેક્ટર મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું,જ્યાં આમિર ખાને પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આમિર ખાન હાલમાં તેમની આગામી ફિલ્મ 'સિતારે જમીન પર'ના શૂટિંગ માટે ગુજરાતમાં છે. આ દરમિયાન તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને અહીંના વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તરીકે પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આમિર ખાનની હાજરીથી કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું હતું.

આ પ્રસંગે સ્થાનિક અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલા વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સની માહિતી મેળવી અને આ વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળની સરાહના કરી હતી.

 

Advertisment
Read the Next Article

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને PM મોદી આવતીકાલે આપશે લીલી ઝંડી

વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે

New Update
Ahmedabad-Mumbai-New-Vande-Bharat-Express-Train-Timings

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 મે, 2025 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 06 દિવસ ચાલશે અને ગુરુવારે ચાલશે નહીં. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાબરમતી થી 05.25 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.25 કલાકે વેરાવળ પહોંચશે. તેવી જ રીતે, પરત મુસાફરીમાં, ટ્રેન નં. 26902 વેરાવળ- સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વેરાવળથી 14.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.35 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં 8 કોચ છે, જેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચનો સમાવેશ થાય છે.

Advertisment

અમદાવાદ (સાબરમતી) અને સોમનાથ (વેરાવળ) વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જેનાથી પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વધુ આરામ અને બહેતર મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરશે.

Advertisment