Connect Gujarat
ગુજરાત

નર્મદા: સાંસદ મનસુખ વસાવાના સમર્થનના ભાજપ અને કોંગ્રેસે સાથે મળી રેલી કાઢી,જુઓ શું છે કારણ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરજણ નજીક અધિકારીઓને ખખડાવાના મામલે સરકારી અધિકારીઓએ સાંસદ સામે બાય ચઢાવી છે

X

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરજણ નજીક અધિકારીઓને ખખડાવાના મામલે સરકારી અધિકારીઓએ સાંસદ સામે બાય ચઢાવી છે તો બીજી તરફ નર્મદા જીલ્લામાં ભાજપ અને કોંગ્રેસે સાથે મળી સાંસદના સમર્થનમાં રેલી કાઢી હતી

કરજણ તાલુકામાં રેતી ભરેલી ટ્રકની અડફેટે અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થતા આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી અને આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા મામલતદાર અને અધિકારીઓને ખખડાવવાનો મુદ્દો હવે વધુ ને વધુ ઉગ્ર બન્યો છે એક તરફ મામલતદારો અને ભૂમાફિયાઓએ સાંસદ સામે બાય ચઢાવી છે.ભૂમાફિયા દ્વારા સાંસદ વિરુદ્ધ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું ત્યારે બીજી બાજુ આજે નર્મદા જિલ્લા ભાજપ સંગઠન સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં રાજપીપલામાં રેલી કાઢી જિલ્લા કલકેટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભૂ માફિયાઓ ખોટી રીતે મામલતદારોને ઉશ્કેરી આંદોલન કરાવી રહ્યા છે આ રેલીને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું

Next Story