નર્મદા : વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે IHCLના સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું...
એકતાનગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના સ્કિલ સેન્ટરનું વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk29 Jan 2024 9:38 AM GMT
X
Connect Gujarat Desk29 Jan 2024 9:38 AM GMT
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના સ્કિલ સેન્ટરનું વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વિદેશ મંત્રી એસ. જયશંકર 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ ગત રવિવારે રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકર નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) સ્કિલ સેન્ટરના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ, વિદેશ મંત્રી એસ. જયશંકર રાજપીપળામાં ચિલ્ડ્રન હોમ, ગર્લ્સ કેમ્પસમાં લેબ અને સ્માર્ટ ક્લાસ માટેના ઉદ્ઘાટન સમારોહના સહભાગી થયા હતા. વધુમાં વિદેશ મંત્રી દિવસના અંતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-લાછરસ ખાતે નવી એમ્બ્યુલન્સને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવા સાથે વિવિધ કાર્યક્રમ હાજરી આપનાર છે.
Next Story