નર્મદા: PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા દિવસની ઉજવણી નિમિત્તે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

New Update

PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી, લોકોને રાષ્ટ્રીય એકતાના લેવડાવ્યા શપથ 

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા દિવસની ઉજવણી નિમિત્તે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. PM મોદીએ આ પ્રસંગે લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યા હતા.

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન મોદીએ તારીખ 30મી ઓક્ટોબરની સાંજે અંદાજીત રૂપિયા 280 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન અને શિલાયન્સ કર્યો હતો,જ્યારે આજરોજ સવારના PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ત્યાર બાદ PM મોદીએ રાષ્ટ્રીય પરેડમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પરેડમાં 9 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચીંગ ટુકડીઓ4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચીંગ બેન્ડે ભાગ લીધો હતો.એકતાનગર કેવડિયા ખાતે આયોજીત આ પરેડમાં જવાનો દ્વારા અનેક કરતબ રજૂ કરાયા હતા.

Read the Next Article

ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીનો શ્રાવણ માસમાં દરરોજ સુંદરકાંડના પાઠ કરવાનો અનોખો સંકલ્પ…

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાયો છે, ત્યારે ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ એક અનોખો સંકલ્પ લીધો છે..

New Update
  • પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે લોકો ભક્તિભાવમાં તણાયા

  • જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીનો અનોખો સંકલ્પ

  • શ્રાવણ માસ નિમિત્તે દરરોજ સુંદરકાંડ પાઠ કરવામાં આવશે

  • સુંદરકાંડ પાઠ દ્વારા ભક્તજનોને ધાર્મિક ઉર્જાનો અનુભવ થશે

  • દરરોજ સુંદરકાંડ પાઠની પહેલ લોકો માટે પ્રેરણારૂપ બની

ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનો અનોખો સંકલ્પ કર્યો છેત્યારે તેઓની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે.

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાયો છેત્યારે ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ એક અનોખો સંકલ્પ લીધો છે. તેમણે સુંદરકાંડ પ્રચારક મંડળના માધ્યમથી શ્રાવણ માસ દરમિયાન દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનું નિશ્ચય કર્યું છે. આ દિવ્ય યાત્રાનો પ્રારંભ ઝાડેશ્વર સ્થિત મહામાંગલ્ય રેસિડન્સીથી હનુમાનજીના પૂજન અને અર્ચન સાથે કરવામાં આવ્યો હતો.

ભક્તિ અને રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલો આ પ્રયાસ માત્ર ધાર્મિક જ નહીંપણ સામાજિક સદભાવના અને હિન્દુ રાષ્ટ્રના વિચારને પણ બળ આપનાર છે. સુંદરકાંડ પાઠ દ્વારા સમૃદ્ધ આ સંકલ્પથી ભક્તજનોને ધાર્મિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થઇ રહ્યો છે. સંદીપ પુરાણીનું માનવું છે કેશ્રાવણ માસમાં હનુમાનજીના ચરિત્રના પઠનથી નેગેટિવ એનર્જી દૂર થાય છેઅને સમાજમાં સકારાત્મકતા ફેલાય છે. આ પહેલ અન્ય ઘરોસંસ્થાઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.