નર્મદા: PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા દિવસની ઉજવણી નિમિત્તે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

New Update

PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી, લોકોને રાષ્ટ્રીય એકતાના લેવડાવ્યા શપથ 

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા દિવસની ઉજવણી નિમિત્તે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. PM મોદીએ આ પ્રસંગે લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યા હતા.

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન મોદીએ તારીખ 30મી ઓક્ટોબરની સાંજે અંદાજીત રૂપિયા 280 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન અને શિલાયન્સ કર્યો હતો,જ્યારે આજરોજ સવારના PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ત્યાર બાદ PM મોદીએ રાષ્ટ્રીય પરેડમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પરેડમાં 9 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચીંગ ટુકડીઓ4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચીંગ બેન્ડે ભાગ લીધો હતો.એકતાનગર કેવડિયા ખાતે આયોજીત આ પરેડમાં જવાનો દ્વારા અનેક કરતબ રજૂ કરાયા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.