નર્મદા : એકતાનગર ખાતે રાષ્ટ્રપતિ બન્યા મહેમાન, સફારી પાર્ક, એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની લીધી મુલાકાત

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી

New Update
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ SOUના બન્યા મહેમાન

  • વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને ભાવાંજલિ અર્પી

  • સરદાર સરોવર ડેમની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ

  • રાષ્ટ્રપતિએ ડેમના નિર્માણની ટેક્નિકલ વિગતો મેળવી

  • જંગલ સફારી પાર્ક,એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની પણ કરી મુલાકાત 

Advertisment

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી,અને પુષ્પો વડે સરદાર સાહેબની વિરાટકાય પ્રતિમાની પાદપૂજા કરી ભાવાંજલિ અર્પી હતી.વધુમાં તેઓએ જંગલ સફારી પાર્ક તેમજ એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.

દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ નર્મદા જિલ્લાના વિશ્વની વિરાટ પ્રતિમા SOUની મુલાકાતે આવ્યા છે.સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ-બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા વોલ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની તેમણે મુલાકાત લીધી હતીજ્યાં ભારતની સ્વાતંત્ર્ય ગાથા ગુલામીથી સ્વાતંત્ર્ય સુધીની સફરભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાનની તલસ્પર્શી વિગતોથી વાકેફ થયા હતા.

રાષ્ટ્રપતિ અને મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી એટલે કેસરદાર સાહેબના હ્રદયસ્થાનેથી સરદાર સરોવરનર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા.

આ પ્રસંગે SSNNL ના ચેરમેન મુકેશ પુરી,કલેક્ટર એસ.કે.મોદીપોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તેમજ SOUના CEO યજ્ઞેશ્વર વ્યાસ, SOUના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા સહિત ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની પણ મુલાકાત લીધી હતી.રાષ્ટ્રપતિએ ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને ટેક્નિકલ વિગતો મેળવી હતી.વધુમાં રાષ્ટ્રપતિએ વાગડીયા ગામ સ્થિત GMR વરલક્ષ્મી ફાઉન્ડેશન સંચાલિત એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની પણ મુલાકાત કરી હતી,અને છેલ્લા ચાર વર્ષમાં આ સેન્ટર ખાતે 2048થી વધુ યુવક યુવતીઓએ તાલીમ મેળવી છે,અને કુલ 8 કોર્ષમાં 53 ટકા તાલીમાર્થી મહિલાઓ છે.

Advertisment
Read the Next Article

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

New Update
દેશમાં છેલ્લા 24 કલાકમાં એક લાખ 45 હજાર નવા કેસ, સક્રિય કેસ 10 લાખથી વધુ છે

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે, ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

Advertisment

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

 જેમાં હોસ્પિટલમાં 17 દર્દીઓ દાખલ છે તેમજ 490 હોમ આઈસોલેશન છે. 72 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજકોટમાં અત્યારે કોરોનાના નવા 61 કેસ એક્ટિવ છે. જે 61 માંથી 18 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જો કે, અત્યારે 43 દર્દીઓ સારવાર હેઠળ છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

 

 

Advertisment