નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જિલ્લાનો વિકાસ થયો છે : સાંસદ મનસુખ વસાવા

New Update
નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જિલ્લાનો વિકાસ થયો છે : સાંસદ મનસુખ વસાવા

નર્મદા જિલ્લાના કેવડીયામાં બનેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરી રહેલાં લોકોને સાંસદ મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે. જન આર્શીવાદ યાત્રા દરમિયાન તેમણે કહયું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જિલ્લાનો વિકાસ થયો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરવો યોગ્ય નથી.

રાજયના નવનિયુકત મંત્રીઓ વિવિધ જિલ્લાઓમાં જન આર્શીવાદ યાત્રાઓ યોજી રહયાં છે. માર્ગ અને મકાન વિભાગના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ નર્મદા જિલ્લાના દેવલીયા ખાતેથી જન આર્શીવાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લાનો વિકાસ થયો છે. સરકાર વિકાસકામો કરી રહી છે અને તેમાં આપણે સૌએ સહભાગી બનવાનું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આપણે શિક્ષિત નહીં બનીએ તો એ બધું નકામું છે.નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ખુબ કથળેલું છે ત્યારે આપણે શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મુકવો પડશે.

હવે વાત કરીએ જન આર્શીવાદ યાત્રાની... રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ દેવલીયાથી જન આર્શીવાદ યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન તેમણે દેવલીયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રસ્તા પર નવા બનેલાં પુલનું લોકાર્પણ કર્યું હતું. મેણ નદી ઉપર નવા બે પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. માર્ગ 

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.