નવસારી : ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા બાદ ખેરગામમાં 9 દિવસ સુધી કલમ 144 લાગુ કરાય...

MLA અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ ખેરગામ પોલીસ મથક હદ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવા અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

New Update
નવસારી : ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા બાદ ખેરગામમાં 9 દિવસ સુધી કલમ 144 લાગુ કરાય...

નવસારી જિલ્લાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ ખેરગામ પોલીસ મથક હદ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવા અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

નવસારી જિલ્લાના ધારાસભ્ય ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલ હુમલા બાદ સમગ્ર શહેર તથા જીલ્લામાં શાંતિ અને સલામતી માટે અધિક કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ખેરગામ પોલીસ મથક હદ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ધારાસભ્ય ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલ હુમલાના વિરોધમાં ગતરોજ પ્રેદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા પરવાનગી વગર અચાનક ધરણાં-પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે ધરણાં ઉપર બેસેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવા જતાં વાતાવરણ ફરી ગરમાયું હતું. આ સાથે જ જીગ્નેશ મેવાણી દ્વારા આજે નવસારી ખાતે આવવાની પણ જાહેરાત કરવામાં છે, ત્યારે હાલ તો ખેરગામમાં આગામી 9 દિવસ માટે 4થી વધુ લોકોને ભેગા થવા, રેલી-સરઘરસ સહિત જાહેર સભાઓ નહીં કરવા તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે.