નવસારી : ચીખલી ને.હા.પર ત્રણ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત,બે ને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા

નવસારી જિલ્લાના ચીખલી નેશનલ હાઇવે નંબર 48 પર ટેન્કર,ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં ટ્રક અને કારના ચાલકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

New Update

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની ઘટના

ને.હા.48 ઉપર આવેલ ચીમલા ગામ નજીક અકસ્માત

ટેન્કર,ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

ટ્રકને મોટું નુકસાન તો કાર ખેતરમાં ખાબકી

ટ્રક અને કારના ચાલકો સારવાર હેઠળ ખસેડાયા 

ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થતા દોડધામ મચી 

નવસારી જિલ્લાના ચીખલી નેશનલ હાઇવે નંબર 48 પર ટેન્કર,ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં ટ્રક અને કારના ચાલકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ટેન્કરમાં ભરેલ કેમિકલ માર્ગ પર ઢોળાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  
નવસારી જિલ્લાના ચીખલી નેશનલ હાઇવે નંબર 48 પર કેમિકલ ભરેલ ટેન્કર,એક ટ્રક અને કાર મળીને ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા ખેતરમાં ખાબકી ગઇ હતી,જ્યારે કેમિકલ ભરેલું ટેન્કર રોડ પર જ પલટી મારી ગયું હતું.ઘટના અંગેની જાણ ચીખલી પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને હાઇવે પર અકસ્માતને  કારણે સર્જાયેલા ટ્રાફિકજામને હળવો કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા, જ્યારે અકસ્માતમાં ટ્રક અને કારના ચાલકોને ઈજાઓ પહોંચતા પોલીસે ચીખલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે રોડ પર પલટી ખાઈ ગયેલા ટેન્કરમાંથી કેમિકલ રોડ પર ઢોળાવા લાગતા સાવચેતીના ભાગરૂપે વલસાડ, બીલીમોરા અને  ચીખલી ખાતેથી ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી,અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારી રાખીને ફાયર બ્રિગેડની ટીમે ટેન્કરમાંથી કેમિકલને લીકેજ થતા અટકાવવાની  કામગીરી શરૂ કરી હતી.
Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.