નવસારી : હનુમાનજી મંદિરનાં ભંડારામાં જમ્યા બાદ ઝાડા ઉલટીની ફરિયાદથી આરોગ્ય તંત્ર થયું દોડતું

નવસારી જલાલપોર તાલુકામાં આવેલા ગામો મટવાડ અને સામાપોરમાં 100થી વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ થઇ હતી. હનુમાનજી મંદિરમાં મહાપ્રસાદી જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હતું.

New Update
  • મટવાડ અને સામાપોરમાં ફૂડ પોઈઝનિંગનો મામલો

  • હનુમાનજી મંદિરમાં ભંડારામાં જમ્યા બાદ સર્જાઈ ઘટના

  • ઝાડા ઉલટીની ફરિયાદ ઉઠતા આરોગ્ય તંત્ર થયું દોડતું

  • ભંડારામાં 80થી વધુ બાળકો થયા અસરગ્રસ્ત

  • 100થી વધુ દર્દીઓને સારવાર બાદ અપાય રજા

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા ગામો મટવાડ અને સામાપોરમાં 100થી વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ થઇ હતી. હનુમાનજી મંદિરમાં મહાપ્રસાદી જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હતું.જેમાં સૌથી વધુ બાળકોને અસર થતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ અને સામાપોર ગામમાં હનુમાન જયંતિના અવસર નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતુંજોકે મહાપ્રસાદી જમ્યા બાદ અચાનક કેટલાક લોકોમાં ઝાડા ઉલટી ની ફરિયાદ જોવા મળી હતી.જેના કારણે આરોગ્ય તંત્રના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા,અને જાણવા મળ્યા મુજબ અસરગ્રસ્તોમાં 80 જેટલા બાળકો સહિત 100 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતીજેમને તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી.તમામ અસરગ્રસ્તોને મોડી રાત્રે સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.

મટવાડ અને સામાપોર ગામ ખાતે મહાપ્રસાદ બનાવનાર કેટર્સ કોન્ટ્રાક્ટર એક જ હોવાનું જાણવા મળ્યું છે.ભોજનમાં પીરસાયેલા છાશ અને કેરીના રસ શંકાસ્પદ હોવાની ચર્ચા ઉઠવા પામી છે.હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.