નવસારી: 4 દિવસ પછી સપ્તપદીના સાત ફેરા લેનાર યુવતીનો તેના જ ગામના તળાવમાંથી મળી આવ્યો મૃતદેહ

નવસારીના ચીખલી તાલુકાના તલાવચોરા ગામની 22 વર્ષીય યુવતી નો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો હતો

New Update
નવસારી: 4 દિવસ પછી સપ્તપદીના સાત ફેરા લેનાર યુવતીનો તેના જ ગામના તળાવમાંથી મળી આવ્યો મૃતદેહ

નવસારીના ચીખલી તાલુકાના તલાવચોરા ગામની 22 વર્ષીય યુવતી નો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો હતો જેના પગલે ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલું તલાચોરા ગામ, ટીવી સ્ક્રીન પર દેખાતું આ ઘર હાલ શોકમાં ગરકાવ થયું છે કારણ છે અહીં જે પરિવારમાં દીકરીના લગ્ન થવાના હતા..હાથે મેહદી લાગવાની હતી તે દીકરીને વિદાય કરવાનો ઉત્સાહ એક પિતા માં ખૂબ જ હતો પરંતુ એ પિતા ને ક્યાં ખબર હતી કે એ જ દીકરીને એમને આટલો મોટો આઘાત આપશે..ચીખલી તાલુકાના તલાવચોરા ગામમાં રહેતી પ્રિયંકા આહીરનો ગામના જ એક તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો, મૃતદેહ મળી આવતા જ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ.. પ્રિયંકાના લગ્ન 24 ફેબ્રુઆરીના દિવસે નિર્ધારિત થયા હતા અને લગ્નની તૈયારીમાં પરિવાર મશગુલ હતો મૃત્યુની આગલી રાત સુધી પ્રિયંકા એના પરિવાર સાથે હસીખુશીથી વાતો કરતી હતી અને લગ્નની તૈયારીઓમાં જોતરાઈ હતી પરંતુ એ દિવસે રાતે એવું તે શું બન્યું એ પરિવાર માટે પણ એક રહસ્ય છે. હાલ પોલીસે યુવતીનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. પરિવારે પોતાની લાડકી દીકરીને ગુમાવતા પરિવાર ભાંગી પડ્યો છે તો પોલીસ તપાસ કરી રહી છે

Latest Stories