નવસારી : રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામશે કમલમ કાર્યાલય, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અધ્યતન કમલમ કાર્યાલયના નિર્માણ કાર્યનું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

New Update
  • PM મોદીના સૂચનથી દરેક જિલ્લામાં કમલમનું નિર્માણ

  • રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામશે કમલમ કાર્યાલય

  • કાર્યાલયના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

  • ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

  • સરકારી યોજનાની માહિતી સહેલાઈથી મળે તેવું આયોજન 

Advertisment

નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અધ્યતન કમલમ કાર્યાલયના નિર્માણ કાર્યનું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગ સાથે કાર્યકર્તા અને લોકોની અનુકૂળતા માટે ભારતીય જનતા પાર્ટી તેનું સંગઠનલોકો સાથે તેમનું સંપર્ક સાહિત્ય કરી શકે તે માટે સંપૂર્ણ દેશમાં PM મોદીના સૂચનથી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યલય બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા પણ દરેક જિલ્લામાં ભાજપના નવા કાર્યાલય નિર્માણ પામી રહ્યા છેત્યારે નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નજીક અંદાજિત 10 કરોડ રૂપિયાના ખર્ચે અધ્યતન નૂતન કમલમ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ અધ્યતન નૂતન કમલમ કાર્યલયમાં લોકો માટે અને કાર્યકર્તાઓ માટે નવી સુવિધા ઉભી કરવામાં આવશે. આ સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાની માહિતી પણ સહેલાઈથી મળી શકે તેવું આયોજન કરવામાં આવશે. કમલમ કાર્યાલય આગામી એક વર્ષની અંદર તૈયાર થઈ જવાની સંભાવના સી.આર.પાટીલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈજલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ સહિત ભાજપ સંગઠનના અનેક નેતાઓઆગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

Advertisment
Read the Next Article

દાહોદ : બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે આરોપી આચાર્યને ફટકારી 10 વર્ષની સજા,પોલીસ તપાસ સામે શંકા!

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી.

New Update
  • દાહોદમાં બહુચર્ચિત દુષ્કર્મના કેસનો મામલો

  • શાળાના આચાર્ય સામે નોંધાયો હતો ગુનો

  • લીમખેડા એડિશનલ સેશન્સ કોર્ટે ફટકારી સજા

  • આરોપીને 10 વર્ષની કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો

  • પોલીસ તપાસ સામે ઉઠ્યા સવાલ 

Advertisment

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી. આ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરીને તેની હત્યા શાળાના આચાર્ય ગોવિંદ નટે કરી હતી. આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.જોકે સમગ્ર કેસમાં પોલીસ તપાસ સામે સવાલો ઉભા થયા છે.

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળાની છ વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. બળાત્કાર બાદ રાજ્યભરમાં ઘટના અંગે રોષ જોવા મળ્યો હતો. સરકાર પક્ષે ઘટનાના માત્ર 12 દિવસમાં ગંભીરતા પૂર્વક ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જેમાં 150 સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.31 સાક્ષી સરકાર પક્ષે તપાસ્યા ઉપરાંત દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા.આ કેસમાં માત્ર 34 હિયરિંગમાં જ કેસની ટ્રાયલ પૂર્ણ થઈ હતી.આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

જોકે બચાવપક્ષના વકીલના જણાવ્યા અનુસારકોર્ટે પોક્સો અને હત્યાના કેસને નકારી દીધો છે,અને કોર્ટે ગંભીર બેદરકારી માટે BNSની કલમ 105(2) હેઠળ સજા કરી છે. પોલીસે જે પણ તપાસ કરી હતી,અને જે પુરાવા રજૂ કર્યા હતા,તે કોર્ટે માન્ય નથી રાખ્યા. નોંધનીય છે કેકોર્ટે આ કલમ હેઠળ થતી વધુમાં વધુ સજા આરોપીને આપી છે.

Advertisment