નવસારી : પાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નોટબુક-કંપાસનો અભાવ, વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ.

New Update
નવસારી : પાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નોટબુક-કંપાસનો અભાવ, વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ.

આજનું બાળક એ આવતી કાલનું ભાવિ છે, અને શિક્ષણની સ્થિતિ દેશના વિકાસની દિશા નક્કી કરતું હોય છે, ત્યારે નવસારી નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં સરકારની યોજના અંતર્ગત મળતા પુસ્તકો હજુ મળ્યા નથી. પાલિકાના અણધડ વહીવટના કારણે વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે.

નવસારી-વિજલપોર પાલિકાની પ્રા. શાળામાં અભ્યાસ કરતા છાત્રોને સતત બીજા વર્ષે પણ નોટબુક, કંપાસ નહીં અપાતા 3થી 8 ધોરણમાં અભ્યાસ કરતા ગરીબ છાત્રો મુશ્કેલીમાં મુકાયા છે. છાત્રોને નોટબુક-કંપાસ આપવાનો ખર્ચ અંદાજે 7 લાખ જેટલો થાય છે. નવસારી-વિજલપોર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 18 જેટલી પ્રા. શાળાઓમાં ધોરણ 1થી 8માં 4 હજાર જેટલા છાત્રો અભ્યાસ કરે છે. આ શાળામાં ધોરણ 3થી 8માં અભ્યાસ કરતા છાત્રોને નગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી નોટબુક અને કંપાસ આપવામાં આવે છે. હાલ 3થી 8માં ભણતા છાત્રોની સંખ્યા 3200થી વધુ છે. કોરોનાના કારણે ગત વર્ષે પાલિકાએ વિદ્યાર્થીઓને નોટબુક-કંપાસ આપ્યા ન હતા. પરંતુ ચાલુ વર્ષે પણ પ્રથમ ટર્મ પુરી થઈ રહી છે. તેમ છતાં હજુ સુધી નોટબુક-કંપાસ અપાયા નથી, ત્યારે આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે પાલિકા સત્તાધીશો દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયામાં મોડું થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. રાજ્યમાં શાળામાં અભ્યાસ શરુ થયા ને પણ બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. પરંતુ અભ્યાસ માટે ન તો ચોપડા અને કંપાસ હજુ સુધી પાલિકાને આપવામાં આવ્યા નથી.

Read the Next Article

સુરેન્દ્રનગર : આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટનું સેવાકાર્ય,દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે પગભર બને તેવા પ્રયાસ

વિકલાંગ ટ્રસ્ટ  દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમા 100  જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે..

New Update
  • આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટનો સ્તુત્ય પ્રયાસ

  • દિવ્યાંગ ભાઈ બહેનોને આપે છે તાલીમ

  • રાખડી,દીવડા સહિતની વસ્તુઓ બનાવે છે

  • દિવ્યાંગ ભાઈ બહેનોને મળી રહે છે રોજગારી

  • આર્થિક રીતે પગભર બને તેવો ટ્રસ્ટનો પ્રયાસ

સુરેન્દ્રનગરમાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના કલ્યાણની ભાવના સાથે સેવાકાર્ય કરવામાં આવે છે.હાલમાં આ ભાઈ બહેનો રાખડી અને દીવડા બનાવીને પગભર થવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ  દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમા 100  જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે.સાથે રાખડીનું કાચુ મટીરીયલ ઘરે લઈ જઈને પણ પોતે કામ કરે છે.જેમાં દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી કેવી રીતે  બનાવી તે  માટે સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે.અને દિવ્યાંગ ભાઈ બહેનો મહિને બે થી અઢી હજાર જેટલી આવક મેળવી શકે છે.

રાખડીની સાથે બહેનોને સીવણનું કામ પણ આપવામાં આવે છે. સાથે દિવાળી ઉપર દીવડા બનવા તેને કલર કરવાનું કામ પણ મળે છે. અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે.રાખડીની સીઝનમાં ગત વર્ષે પાંચ હજારથી વધુ રાખડી દિવ્યાંગ બહેનોએ બનાવી હતી અને તેનું વેચાણ કર્યું હતું. આ વર્ષે હાલ રોજની 500 નંગ રાખડી બનાવીને  અંદાજીત 7 હજાર જેટલી રાખડી બનાવી અને તેનું વેચાણ  કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.