Connect Gujarat
ગુજરાત

નવસારી : પતિના મોતના સમાચાર મળતાં જ પત્નીએ પણ પ્રાણ છોડ્યાં, 2 બાળકોએ ગુમાવી માતા-પિતાની છત્રછાયા

નવસારી જીલ્લામાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અકસ્માતમાં પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ પણ 30 મિનિટમાં જ પ્રાણ છોડ્યા હતા

નવસારી : પતિના મોતના સમાચાર મળતાં જ પત્નીએ પણ પ્રાણ છોડ્યાં, 2 બાળકોએ ગુમાવી માતા-પિતાની છત્રછાયા
X

નવસારી જીલ્લામાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અકસ્માતમાં પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ પણ 30 મિનિટમાં જ પ્રાણ છોડ્યા હતા. પતિ-પત્નીના મૃત્યુથી 2 માસૂમ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે રહેતા અરુણ ગાવિત ગત ગુરુવારે રાત્રે બાઇક પર ઘરે પરત આવી રહ્યા હતા. આ દરમ્યાન ગામ નજીક તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. જેમાં ગંભીર રીતે ઈજા પહોચતા અરુણ ગાવિતનું મોત નિપજ્યું હતું. તો બીજી તરફ, પતિના અવસાનના સમાચાર સાંભળતા જ પત્ની ભાવના ગાવિત અચાનક જમીન પર ઢળી પડી બેભાન થઈ ગયા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે ભાવના ગાવિતને મૃત જાહેર કર્યા હતા. તબીબોએ તેમના મૃત્યુનું કારણ હાર્ટએટેક જણાવ્યું હતું. પતિના મોતના અડધા કલાકમાં જ પત્નીએ પણ પ્રાણ છોડી દીધા હતા. પતિ-પત્નીના મોતને ભેટતા બે માસુમ બાળકો નોધારા બન્યા છે. સેવાભાવી દંપતીના મોતથી તોરણવેરામાં શોકનો માહોલ છવાયો હતો.

Next Story