નવસારી : પતિના મોતના સમાચાર મળતાં જ પત્નીએ પણ પ્રાણ છોડ્યાં, 2 બાળકોએ ગુમાવી માતા-પિતાની છત્રછાયા

નવસારી જીલ્લામાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અકસ્માતમાં પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ પણ 30 મિનિટમાં જ પ્રાણ છોડ્યા હતા

New Update
નવસારી : પતિના મોતના સમાચાર મળતાં જ પત્નીએ પણ પ્રાણ છોડ્યાં, 2 બાળકોએ ગુમાવી માતા-પિતાની છત્રછાયા

નવસારી જીલ્લામાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અકસ્માતમાં પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ પણ 30 મિનિટમાં જ પ્રાણ છોડ્યા હતા. પતિ-પત્નીના મૃત્યુથી 2 માસૂમ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે રહેતા અરુણ ગાવિત ગત ગુરુવારે રાત્રે બાઇક પર ઘરે પરત આવી રહ્યા હતા. આ દરમ્યાન ગામ નજીક તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. જેમાં ગંભીર રીતે ઈજા પહોચતા અરુણ ગાવિતનું મોત નિપજ્યું હતું. તો બીજી તરફ, પતિના અવસાનના સમાચાર સાંભળતા જ પત્ની ભાવના ગાવિત અચાનક જમીન પર ઢળી પડી બેભાન થઈ ગયા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે ભાવના ગાવિતને મૃત જાહેર કર્યા હતા. તબીબોએ તેમના મૃત્યુનું કારણ હાર્ટએટેક જણાવ્યું હતું. પતિના મોતના અડધા કલાકમાં જ પત્નીએ પણ પ્રાણ છોડી દીધા હતા. પતિ-પત્નીના મોતને ભેટતા બે માસુમ બાળકો નોધારા બન્યા છે. સેવાભાવી દંપતીના મોતથી તોરણવેરામાં શોકનો માહોલ છવાયો હતો.

Read the Next Article

ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચ્યો

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના 235 નવા કેસ નોંધાયા છે.  આ સાથે જ રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચી ગયો છે.  

એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરના  235 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે. જેમાં  33 હોસ્પિટલમાં દાખલ છે.  જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 106 દર્દી સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  

કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય

છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોનાના 769 નવા કેસ (Covid 19 Cases Updates) નોંધાયા છે. આ સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા છ હજારને વટાવી ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે આંકડા જાહેર કર્યા હતા. મંત્રાલય અનુસાર, કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. ત્યારબાદ ગુજરાત, બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તૈયારીઓનો હિસ્સો લેવા માટે કેન્દ્ર 'મોક ડ્રીલ' કરી રહ્યું છે. તમામ રાજ્યોને ઓક્સિજન, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.

Latest Stories