નવસારી : અતિરુદ્ર મહાયજ્ઞમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આહુતિ-અભિષેક થકી ધન્યતા અનુભવી...

નવસારીના કછોલ ગામ ખાતે આયોજિત 5 દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર.પાટીલે યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.

New Update
  • કળિયુગમાં ભગવાનને પામવા માટેના સત્માર્ગયજ્ઞતપ અને દાન

  • 5 દિવસીય અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

  • મહાયજ્ઞમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની ઉપસ્થિતી

  • સી.આર.પાટીલે યજ્ઞમાં આહુતિ અને અભિષેક કરી ધન્યતા અનુભવી

  • દેશભરના ભૂદેવો સહિત આમંત્રિતો-નગરજનો વિશેષ ઉપસ્થિત રહ્યા

નવસારીના કછોલ ગામ ખાતે આયોજિત 5 દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર.પાટીલે યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.

નવસારી શહેરના વેપારી અને રાજકારણી પ્રેમચંદ લાલવાણી પરિવારના યજમાન પદે કછોલ ગામ ખાતે અતિરુદ્ર મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છેઆ યજ્ઞ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ યજ્ઞમાં સ્વયમ શિવજી હાજરી આપે છે તેવી લોકવાયકા છે. પવિત્ર વાતાવરણની વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે દેશના 300 થી વધુ દંડી બ્રાહ્મણોએ અતિરુદ્ર મહાયજ્ઞને ખાસ બનાવ્યો છેત્યારે આજરોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર.પાટીલે યજ્ઞમાં આહુતિ આપી મહાદેવનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખનવસારીના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.