છોટાઉદેપુર : પાવી-જેતપુરના ભારજ નદી પુલનો એક ભાગ તણાયો, ગ્રામજનોને ભારે હાલાકી

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારજ નદી ઉપર પુલનો એક ભાગ તણાયો હતો. ભારજ નદીનું ડાયવર્ઝન સંપૂર્ણ પાણીમાં ધોવાઈ જતાં અનેક લોકો અટવાયા હતા.

New Update

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારજ નદી ઉપર પુલનો એક ભાગ તણાયો હતો. ભારજ નદીનું ડાયવર્ઝન સંપૂર્ણ પાણીમાં ધોવાઈ જતાં અનેક લોકો અટવાયા હતા.

છોટાઉદેપુર જિલ્લામાં પાવી-જેતપુર પાસે આવેલ ભારજ નદી પરનો બ્રિજ એક વર્ષ પહેલાં જ ક્ષતિગ્રસ્ત થયો હતો. જેને લઈને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જેની કામગીરીમાં 2 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતોજ્યારે પુલ બનાવવાં માટે તંત્રએ એક વર્ષથી કોઈ કામગીરી ન કરી હતી. આ તરફસુખી ડેમમાંથી પાણી છોડાતા ડાયવર્ઝન તો ધોવાયુ છેસાથે સાથે પુલનો એક ભાગ પણ તૂટી જતા બ્રિજ 2 ભાગમાં વેંચાય ગયો છે. આ સાથે રેલવે સેવા એક મુખ્ય આધાર છેજ્યારે હાલ તો છોટાઉદેપુર જિલ્લાનું વડું મથક છેત્યાં જવા માટે લોકોને 30 કિલોમીટરનો ફેરો લગાવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કેરાજ્ય અને કેન્દ્ર સરકાર અને તંત્ર દ્વારા એક વર્ષથી પુલની કામગીરી કરવામાં આવી નથીત્યારે છોટાઉદેપુર જિલ્લાની પ્રજા અને પાવી જેતપુર તાલુકાના ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છેત્યારે હવે વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેઅને પુલની મંજૂરી આપવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

 

Read the Next Article

બનાસકાંઠા : પાલનપુરમાં અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ કોન્સ્ટેબલના આપઘાતથી ચકચાર

બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

New Update
  • પાલનપુરમાં પોલીસકર્મીનો આપઘાત

  • અંતિમ ચિઠ્ઠી લખીને કર્યો આપઘાત

  • ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી 

  • પોલીસ અધિકારીઓ પર લગાવ્યો આક્ષેપ

  • ગુજરાત પોલીસ બેડામાં ચકચાર

  • પરિવારજનોએ કરી યોગ્ય ન્યાયની માંગણી

બનાસકાંઠાના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે મોડી રાત્રે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો,જોકે તેઓએ અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ અધિકારીઓ અને મેડિકલ ઓફિસર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.

બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. કોન્સ્ટેબલ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી,જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા ત્રાસ આપવાની વાતનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

ઘટના સંદર્ભે પરિવારજનોએ પણ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે. પરિવારે કહ્યુ કેવિંદલરાજે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સુસાઈડ નોટમાં લખ્યું છે કે,અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે, SP વિકાસ સુડા અને PI બી.પી.ખરાડી સામે આક્ષેપ કર્યો છે. આ સાથે નલિયા CHCના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણ સામે કચ્છમાં પ્રોહિબિશનનો કેસ નોંધાયેલો હતો.અને ત્યાર બાદ તેની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસમાં ચકચાર જગાવનાર કોન્સ્ટેબલના ચકચારી આપઘાતની ઘટનામાં બનાસકાંઠા ASP સુબોધ માનકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલ  વિંદલરાજ ચૌહાણના આપઘાત મુદ્દે અકસ્માત મોત અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છેવિંદલરાજ ચૌહાણ સામે પ્રોહીબીશનનો કેસ નોંધવામાં આવ્યો હતો,અને તેમની બદલી સુરત ગ્રામ્યમાં કરવામાં આવી હતી.હાલમાં પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.તેમજ આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.