પાટણ:  પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન વીજ લાઈન માટે જમીન સંપાદન કરનાર ખેડૂતોનો વળતર મુદ્દે વિરોધ

પાટણ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન વીજ લાઈન દ્વારા 765 કેવીની ડબલ વીજ લાઈન નાખવામાં આવી છે.

New Update

પાટણમાં વળતર મુદ્દે ખેડૂતોમાં આક્રોશ 

Advertisment

ખેડૂતોએ વીજ લાઈનમાં જમીનનું કર્યું છે સંપાદન

જમીન સંપાદિત કરીને વળતર ઓછું ચૂકવાયું હોવાના આક્ષેપ  

ઉચ્ચક્ક્ષા સુધીની રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય 

ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી આપતા ખેડૂતો 

પાટણ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન વીજ લાઈન દ્વારા 765 કેવીની ડબલ વીજ લાઈન નાખવામાં આવી છે. જોકે આ કામગીરીમાં પોતાની મહામૂલી જમીન સંપાદિત કરનાર ખેડૂતો વળતર મુદ્દે વિરોધ કરી રહ્યા છે.અને તેઓને મોંઘાભાવની જમીન સામે સામાન્ય વળતર આપવામાં આવ્યું હોવાના આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે.

પાટણ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન વીજ લાઈન દ્વારા 765 કેવીની ડબલ વીજ લાઈન નાખવામાં આવી છે.જેના કારણે ચાણસ્મા,પાટણ તેમજ સરસ્વતી તાલુકાના 54 ગામોના ખેડૂતોને તેમની મોંઘાભાવની જમીનોને સરકાર દ્વારા વિકાસના નામે સામાન્ય વળતર આપીને સંપાદન કરીને ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે.બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના સાંતલપુર, રાધનપુર તાલુકાના ખેડૂતોને 700 થી 950 સુધીનું વળતર ચૂકવવામાં આવ્યું છે,તો હવે આ ત્રણ તાલુકામાં જયારે 6 વર્ષ પછી અત્યારે આ ભાવ સંપાદનમાં વળતર પેટે ખેડૂતોને વધારીને આપવાના બદલે ઓછું વળતર આપીને વળતર ના નામે વીજ કંપની સામાન્ય રકમ ચૂકવવા માંગતી હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો.અને ખેડૂતોને વીજ કંપની દ્વારા ધાકધમકી આપવામાં આવી રહી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે.આ અંગે ખેડૂતો દ્વારા વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી તેમજ પાટણ કલેકટર સુધી લેખિતમાં અરજી કરવામાં આવી છે,પરંતુ આજદિન સુધી અરજીનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.તેથી ત્રણ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો આનંદ સરોવર ખાતે ભેગા થઇ ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને આગામી સમયમાં તમામ ખેડૂતો ભેગા થઈને ગાંધીનગર ખાતે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment