-
રાધનપુર હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત
-
એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
-
રિક્ષામાં સવાર મુસાફરોને કાળ ભરખી ગયો
-
અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો
-
મરણ ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર એસ.ટી.બસ અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી માતાના મઢે જતી રિક્ષાને બસે ટક્કર મારતા રિક્ષામાં સવાર તમામ છ લોકોના મોત નીપજ્યા છે.
પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર બેફામ દોડી રહેલી એસ.ટી.બસના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.સર્જાયેલા માર્ગ અકસ્માતમાં રિક્ષામાં સવાર છ નિર્દોષ લોકોના ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.સર્જાયેલી ઘટનાને પગલે મરણ ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
જાણવા મળ્યા મુજબ આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રિક્ષામાં જઈ રહ્યા હતા,ત્યારે શ્રદ્ધાળુઓને માર્ગમાં જ કાળ ભરખી ગયો હતો.સર્જાયેલા અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.