2 વર્ષથી ધૂળ ખાતી બંધ કેન્દ્રીય વિદ્યાલયને શરૂ કરવા માટે MLAના પ્રયાસો

પાટણના ચોરમારપુરા ખાતેની બે વર્ષથી બંધ હાલતમાં રહેલી કેન્દ્રીય વિદ્યાલયને શરૂ કરવા માટે ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે,અને સ્થળ નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી.

New Update

પાટણના ચોરમારપુરામાં બે વર્ષથી બંધ કેન્દ્રીય વિદ્યાલય

20 કરોડના ખર્ચે નિર્માણ થયેલ શાળા ધૂળ ખાતી હાલતમાં 

વાલીઓની અનેક રજૂઆતો બાદ પણ શાળા છે બંધ 

ધારાસભ્યએ શાળાની મુલાકાત લઈને કર્યું નિરીક્ષણ 

મુખ્યમંત્રીને પત્ર લખીને શાળા શરૂ કરવા માટે કરી રજુઆત 

પાટણના ચોરમારપુરા ખાતેની બે વર્ષથી બંધ હાલતમાં રહેલી કેન્દ્રીય વિદ્યાલયને શરૂ કરવા માટે ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે,અને સ્થળ નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી.
પાટણના ચોરમારપુરા ખાતે અંદાજીત રૂપિયા 20 કરોડના ખર્ચે કેન્દ્રીય વિદ્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું,જોકે છેલ્લા બે વર્ષથી આ શાળા બંધ હાલતમાં છે,જે અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં શાળાને શરૂ કરવામાં આવી નથી.જાણવા મળ્યા મુજબ શાળા પાસેથી પસાર થતું એક નાળુ શાળા માટે બાધારૂપ બન્યું છે,જેના કારણે શાળા બંધ કરવામાં આવી હોવાનું કહેવાય છે,પરંતુ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા શાળાના અધિકારીઓ અને અગ્રણીઓ સાથે શાળાની મુલાકાત કરીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.અને બે વર્ષથી ધૂળ ખાતી કેન્દ્રીય વિદ્યાલયને પુનઃ શરૂ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી હતી. 
Read the Next Article

ISRO દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન

New Update
isro

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે.

આ માહિતી ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તેનો અંદાજિત ખર્ચ 10,000 કરોડ રૂપિયા હશે. નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ નવું સ્પેસ સ્ટેશન દીવ અને વેરાવળ વચ્ચે બનાવવામાં આવશે. અહીંથી ISRO તેના PSLV અને SALV રોકેટ લોન્ચ કરશે.

તેનું સ્થાન ખૂબ જ વ્યૂહાત્મક રીતે પસંદ કરવામાં આવ્યું છે કારણ કે ભૂમધ્ય રેખાની નજીક ગુજરાતની સ્થિતિ અવકાશ મિશન માટે મોટો ફાયદો આપે છે.

ગુજરાતની પોતાની 'સ્પેસ મિશન પોલિસી'

જેમ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે સ્પેસ નીતિ લાગુ કરી છે. ગુજરાત સરકારે પણ નવી 'સ્પેસ મિશન પોલિસી' શરૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય રાજ્યને સ્પેસ ટેકનોલોજી અને રિસર્ચ ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો છે. આ નીતિ ફક્ત ISRO ને જ મદદ કરશે નહીં, પરંતુ યુવાનોને પણ નવી તકો મળશે.

ISRO ના આગામી મોટા લક્ષ્યો

નીલેશ દેસાઈએ જણાવ્યું હતું કે ISRO હવે તેના 70 ટકા મિશન કમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ સિસ્ટમ્સ પર કેન્દ્રિત કરી રહ્યું છે. આ ઉપરાંત ISRO આગામી ત્રણ મોટા પ્રોજેક્ટ્સ ચંદ્રયાન-5 મિશન, ગગનયાન મિશન** (જેમાં માનવોને અવકાશમાં મોકલવામાં આવશે) અને શુક્ર ઓર્બિટર મિશન પર પણ નજર રાખી રહ્યું છે. આ બધાને 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.