ઓપરેશન સિંદૂર’ બાદ PM મોદી પહેલીવાર ગુજરાતના પ્રવાસે, તા. 26મીએ કચ્છ-ભુજમાં સભા ગજવશે…

PM મોદી આગામી તા. 26 મે-2025ના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત લેશે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે આયોજિત જનસભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

New Update
  • ઓપરેશન સિંદૂર બાદ PM મોદી પહેલીવાર આવશે ગુજરાત

  • તંત્ર દ્વારા ભુજમાં આયોજિત જનસભાની તૈયારીઓ શરૂ કરાય

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ જાહેર સભાને સંબોધન કરશે

  • વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનું પણ આયોજન

  • પ્રભારી મંત્રી સહિતના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત કરી 

કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં પાર પડાયેલા ઓપરેશન સિંદૂરને સફળતા મળી છેત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતમાં આવી રહ્યા છેતેઓ કચ્છ જિલ્લાના ભુજની મુલાકાત લઈ વિશાળ જાહેર સભાને સંબોધન કરશે.

ઓપરેશન સિંદૂર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી આગામી તા. 26 મે-2025ના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત લેશેત્યારે વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે આયોજિત જનસભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના સંભવિત પ્રવાસને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે.

આ કમિટીઓમાં મુખ્ય સ્ટેજ વ્યવસ્થાપનકાયદો અને વ્યવસ્થા જાળવણીબેઠક અને મંડપ વ્યવસ્થાજનમેદનીને લાવવા માટે એસ.ટી. બસની ફાળવણીપાર્કિંગ અને આરોગ્ય સેવાઓ જેવી કામગીરી માટે અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતને લઈને સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. ભુજ ખાતે યોજાનારી જાહેર સભા અને વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્તને લઈને તંત્ર અને ભાજપ સંગઠન બંને સંપૂર્ણ રીતે કાર્યરત છે.

જોકે, PM મોદીના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત થવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સુપેરે પાર પાડવા માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસુરિયારેન્જ આઈજી ચિરાગ કોરડિયાકચ્છ સાંસદ વિનોદ ચાવડાજિલ્લા કલેક્ટર આનંદ પટેલ સહિતના પદાધિકારીઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી. તો બીજી તરફકચ્છના લોકો માટે PM મોદીનો આગમન પ્રસંગ ઐતિહાસિક બની રહે તેવી શક્યતા વર્તાય રહી છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.