ઓપરેશન સિંદૂર’ બાદ PM મોદી પહેલીવાર ગુજરાતના પ્રવાસે, તા. 26મીએ કચ્છ-ભુજમાં સભા ગજવશે…

PM મોદી આગામી તા. 26 મે-2025ના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત લેશે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે આયોજિત જનસભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

New Update
  • ઓપરેશન સિંદૂર બાદPM મોદી પહેલીવાર આવશે ગુજરાત

  • તંત્ર દ્વારા ભુજમાં આયોજિત જનસભાની તૈયારીઓ શરૂ કરાય

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ જાહેર સભાને સંબોધન કરશે

  • વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનું પણ આયોજન

  • પ્રભારી મંત્રી સહિતના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત કરી

કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં પાર પડાયેલા ઓપરેશન સિંદૂરને સફળતા મળી છેત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતમાં આવી રહ્યા છેતેઓ કચ્છ જિલ્લાના ભુજની મુલાકાત લઈ વિશાળ જાહેર સભાને સંબોધન કરશે.

ઓપરેશન સિંદૂર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.PM મોદી આગામી તા. 26 મે-2025ના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત લેશેત્યારે વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે આયોજિત જનસભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના સંભવિત પ્રવાસને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે.

આ કમિટીઓમાં મુખ્ય સ્ટેજ વ્યવસ્થાપનકાયદો અને વ્યવસ્થા જાળવણીબેઠક અને મંડપ વ્યવસ્થાજનમેદનીને લાવવા માટે એસ.ટી. બસની ફાળવણીપાર્કિંગ અને આરોગ્ય સેવાઓ જેવી કામગીરી માટે અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતને લઈને સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. ભુજ ખાતે યોજાનારી જાહેર સભા અને વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્તને લઈને તંત્ર અને ભાજપ સંગઠન બંને સંપૂર્ણ રીતે કાર્યરત છે.

જોકે, PM મોદીના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત થવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સુપેરે પાર પાડવા માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસુરિયારેન્જ આઈજી ચિરાગ કોરડિયાકચ્છ સાંસદ વિનોદ ચાવડાજિલ્લા કલેક્ટર આનંદ પટેલ સહિતના પદાધિકારીઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી. તો બીજી તરફકચ્છના લોકો માટેPM મોદીનો આગમન પ્રસંગ ઐતિહાસિક બની રહે તેવી શક્યતા વર્તાય રહી છે.

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.