નવસારી : વાંસદામાં સંપત્તિની ભાગ બટાઈ જીવલેણ બની,ભાણિયાએ માસાને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર

નવસારી જિલ્લાના વાસદામાં પૈતૃક સંપત્તિના ભાગ બટાઈમાં યુવાને પોતાના માસાને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઈ પોલીસે આરોપીની કરી ધરપકડ 

New Update
  • વાંસદામાં વારસાઈમાં ખેલાયો ખૂની ખેલ

  • ભાણિયાએ માસાને ઉતાર્યા મોતને ઘાટ

  • માથામાં કુહાડી મારી કરી હત્યા

  • સંપત્તિ બાબતે થયો હતો વિવાદ

  • પોલીસે આરોપીની કરી ધરપકડ 

નવસારી જિલ્લાના વાસદામાં પૈતૃક સંપત્તિના ભાગ બટાઈમાં યુવાને પોતાના માસાને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા મહુવાસ ગામના નવું ફળિયામાં રહેતા મુકેશ રાણા પત્નીનું અવસાન 15 વર્ષ પહેલા થયું હતું. જોકે મુકેશ રાણાને જાણ થઈ હતી કે તેમની પત્ની સ્વ.અનિલાનું નામ વારસાઈમાં નથી.તેથી તેમણે મામલતદાર કચેરીમાં વાંધા અરજી દાખલ કરી હતી. 

જમીન બાબતે નાયબ કલેક્ટર વાંસદામાં 15 મેના રોજ આ અંગેની સુનાવણી થવાની હતી.પરંતુ 13 મે રાત્રિના સમયે તેમના જમાઈ કિંજલકુમાર અને પુત્રી મોનાલીસા પતરાના ખુલ્લા શેડમાં રસોઈ બનાવતા હતા.

જ્યારે પિતા મુકેશ પરિવાર સાથે ખુરશીમાં બેસીને વાત કરતા હતાઆ દરમિયાન મુકેશ રાણાનો ભાણિયો ઉમેશ અરવિંદભાઈ ગામીતે ઘર તરફથી કુહાડી લઈને મુકેશના માથાના પાછળના ભાગે કુહાડી મારી લોહીલુહાણ કરી દીધા હતા,અને યુવકના માસા મુકેશ રાણા લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યા હતા.ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.મુકેશને લોહીલુહાણ અને બેભાન અવસ્થામાં તેમજ કુહાડી માથામાં ખૂંપેલી હાલતમાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જોકે  હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.

મૃતકના પુત્ર આશુતોષ મુકેશભાઈ રાણાએ જમીન બાબતે આપસી અદાવત રાખી પિતાને મોતને ઘાટ ઉતારતા વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી આરોપી ઉમેશ ગામીતની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી હતી.

Read the Next Article

જૂનાગઢ : વિસાવદરમાં પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.61 ટકા નોંધાયું મતદાન

વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન થયું

New Update
Visavar by election

જૂનાગઢ જિલ્લાની વિસાવદર તેમજ મેહસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન થયું હતું.એકાદ ઘટનાને બાદ કરતા બંને બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. 

જૂનાગઢ જિલ્લાની વિસાવદર અને મહેસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા પાછળ બે અલગ અલગ કારણ છે. વિસાવદરમાં વર્ષ 2022માં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતાજોકે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યો હતો.

પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયાજેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ હતી. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતા પેટાચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો હતો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશન સોંલકીનું નિધન થતાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

આજરોજ યોજાયેલા વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.જેમાં જાણવા મળ્યા મુજબ સાંજના 5 કલાક સુધીમાં વિસાવદરમાં 54.61 ટકા જ્યારે કડીમાં 54.49 ટકા મતદાન નોંધાયું હતું,અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા સાંજે 6 કલાક દરમિયાન 60 ટકા જેટલું મતદાન નોંધાવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.અને ભાજપ,કોંગ્રેસ તેમજ આપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા ભર્યો જંગ બની ગયો છે.