વલસાડ: નગરપાલિકા દ્વારા પાણી વેરામાં ધરખમ વધારા મુદ્દે વિરોધ

વલસાડ નગરપાલિકા દ્વારા 52 ટકા જેટલો પાણીમાં વેરો વધારો કરવામાં આવતા સ્થાનિકો એ આવેદનપત્ર પાઠવીને વેરા વધારાનો વિરોધ કર્યો હતો.

New Update

વલસાડ નગરપાલિકાએ કર્યો પાણી વેરમાં વધારો 

Advertisment

વેરામાં 52 ટકા જેટલો ધરખમ વધારા મુદ્દે વિરોધ

સ્થાનિકોએ નગરપાલિકમાં આવેદનપત્ર આપી કર્યો વિરોધ 

વેરામાં  20 ટકા વધારો કરવા સ્થાનિકોએ કરી રજુઆત 

વેરામાં ઘટાડો કરવા માટે સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી 

વલસાડ નગરપાલિકા દ્વારા 52 ટકા જેટલો પાણીમાં વેરો વધારો કરવામાં આવતા સ્થાનિકો એ આવેદનપત્ર પાઠવીને વેરા વધારાનો વિરોધ કર્યો હતો. 3 હજારથી વધુ લોકોની વાંધા અરજીને ધ્યાને ન લઈને વેરામાં વધારો કરવામાં આવ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા  હતા.

વલસાડ નગરપાલિકાના વહીવટદાર દ્વારા પાણી વેરામાં વધારો કર્યો છે.પાણી વેરો જે રૂપિયા 660 હતો તેમાં રૂપિયા 340 નો વધારો કરીને  રૂપિયા 1 હજાર કરવામાં આવ્યો છે.જેના કારણે સ્થાનિક લોકો પર આર્થિક ભારણમાં વધારો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વલસાડ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસનાં કાઉન્સિલર અને સ્થાનિકોએ  નગરપાલિકાના વહીવટદારને આવેદનપત્ર પાઠવી પાણી ઉપર વધારેલો 52 ટકાનો વેરા વધારાની જગ્યાએ 20 ટકા વેરા વધારવાની માંગ કરી છે. જો વેરા ઘટાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં  આવી હતી. સ્થાનિક અગ્રણીઓએ વહીવટદાર આસ્થા સોલંકીને લેખિત આવેદનપત્ર પાઠવી પાણી વેરાનો વધારો પાછો ખેંચવા માંગ કરી છે.વેરા વધારા મુદ્દે 3 હજાર જેટલી વાંધા અરજીઓને ધ્યાને લેવામાં ન આવી હોવાના આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા હતા. 
Advertisment
Read the Next Article

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

New Update
 cyclone in Arabian Sea

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે.

Advertisment