વલસાડ: નગરપાલિકા દ્વારા પાણી વેરામાં ધરખમ વધારા મુદ્દે વિરોધ

વલસાડ નગરપાલિકા દ્વારા 52 ટકા જેટલો પાણીમાં વેરો વધારો કરવામાં આવતા સ્થાનિકો એ આવેદનપત્ર પાઠવીને વેરા વધારાનો વિરોધ કર્યો હતો.

New Update

વલસાડ નગરપાલિકાએ કર્યો પાણી વેરમાં વધારો 

વેરામાં 52 ટકા જેટલો ધરખમ વધારા મુદ્દે વિરોધ

સ્થાનિકોએ નગરપાલિકમાં આવેદનપત્ર આપી કર્યો વિરોધ 

વેરામાં  20 ટકા વધારો કરવા સ્થાનિકોએ કરી રજુઆત 

વેરામાં ઘટાડો કરવા માટે સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી 

વલસાડ નગરપાલિકા દ્વારા 52 ટકા જેટલો પાણીમાં વેરો વધારો કરવામાં આવતા સ્થાનિકો એ આવેદનપત્ર પાઠવીને વેરા વધારાનો વિરોધ કર્યો હતો. 3 હજારથી વધુ લોકોની વાંધા અરજીને ધ્યાને ન લઈને વેરામાં વધારો કરવામાં આવ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા  હતા.

વલસાડ નગરપાલિકાના વહીવટદાર દ્વારા પાણી વેરામાં વધારો કર્યો છે.પાણી વેરો જે રૂપિયા 660 હતો તેમાં રૂપિયા 340 નો વધારો કરીને  રૂપિયા 1 હજાર કરવામાં આવ્યો છે.જેના કારણે સ્થાનિક લોકો પર આર્થિક ભારણમાં વધારો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વલસાડ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસનાં કાઉન્સિલર અને સ્થાનિકોએ  નગરપાલિકાના વહીવટદારને આવેદનપત્ર પાઠવી પાણી ઉપર વધારેલો 52 ટકાનો વેરા વધારાની જગ્યાએ 20 ટકા વેરા વધારવાની માંગ કરી છે. જો વેરા ઘટાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં  આવી હતી. સ્થાનિક અગ્રણીઓએ વહીવટદાર આસ્થા સોલંકીને લેખિત આવેદનપત્ર પાઠવી પાણી વેરાનો વધારો પાછો ખેંચવા માંગ કરી છે.વેરા વધારા મુદ્દે 3 હજાર જેટલી વાંધા અરજીઓને ધ્યાને લેવામાં ન આવી હોવાના આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા હતા. 
Read the Next Article

ગીર સોમનાથ : લાટી ગામના દરિયા કિનારે રહસ્યમય કન્ટેનર તણાઈ આવતા કુતુહલ,એજન્સીઓ દ્વારા તપાસ શરૂ

ગીર સોમનાથ જિલ્લામાં લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેનર તણાઈને આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ કન્ટેનર જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી.

New Update
  • લાટી દરિયા કિનારે તણાઈ આવ્યું રહસ્યમય કન્ટેનર 

  • રહસ્યમય કન્ટેનરથી ગ્રામજનોમાં કુતુહલ

  • તપાસમાં તાઇવાનના એક્વા પ્રેશર ટેન્ક મળી આવ્યા

  • શિપમાંથી કન્ટેનર પડી ગયા બાદ તણાઈ આવ્યાનું અનુમાન

  • કસ્ટમ અને પોલીસ વિભાગે શરૂ કરી કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લામાં લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેનર તણાઈને આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ કન્ટેનર જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લામાં લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેનર તણાઈને આવતા ભારે કુતૂહલ સર્જાયું હતું.ઘટનાની માહિતી મળતા જ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. ગીર સોમનાથ એસઓજી,એલસીબી,મામલતદાર અને કસ્ટમ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા કન્ટેનરને દરિયા કિનારે લાવવામાં આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ કન્ટેનર કોઈ કાર્ગો શિપમાંથી દરિયામાં પડી ગયું હોઈ શકે છે.કસ્ટમ સહિતની એજન્સીઓ દ્વારા કન્ટેનર ખોલતા તાઇવાન બનાવટના એકવા પ્રેશર ટેન્ક હોવાનું સામે આવ્યું હતું.કસ્ટમ વિભાગ દ્વારા આ કન્ટેનર ક્યાંથી અપલોડ કરાયું અને ક્યાં જઈ રહ્યું હતું તે અંગે શિપિંગ એજન્સીઓ પાસેથી માહિતી એકત્ર કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.