વલસાડ: નગરપાલિકા દ્વારા પાણી વેરામાં ધરખમ વધારા મુદ્દે વિરોધ

વલસાડ નગરપાલિકા દ્વારા 52 ટકા જેટલો પાણીમાં વેરો વધારો કરવામાં આવતા સ્થાનિકો એ આવેદનપત્ર પાઠવીને વેરા વધારાનો વિરોધ કર્યો હતો.

New Update

વલસાડ નગરપાલિકાએ કર્યો પાણી વેરમાં વધારો 

વેરામાં 52 ટકા જેટલો ધરખમ વધારા મુદ્દે વિરોધ

સ્થાનિકોએ નગરપાલિકમાં આવેદનપત્ર આપી કર્યો વિરોધ 

વેરામાં  20 ટકા વધારો કરવા સ્થાનિકોએ કરી રજુઆત 

વેરામાં ઘટાડો કરવા માટે સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી 

વલસાડ નગરપાલિકા દ્વારા 52 ટકા જેટલો પાણીમાં વેરો વધારો કરવામાં આવતા સ્થાનિકો એ આવેદનપત્ર પાઠવીને વેરા વધારાનો વિરોધ કર્યો હતો. 3 હજારથી વધુ લોકોની વાંધા અરજીને ધ્યાને ન લઈને વેરામાં વધારો કરવામાં આવ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા  હતા.

વલસાડ નગરપાલિકાના વહીવટદાર દ્વારા પાણી વેરામાં વધારો કર્યો છે.પાણી વેરો જે રૂપિયા 660 હતો તેમાં રૂપિયા 340 નો વધારો કરીને  રૂપિયા 1 હજાર કરવામાં આવ્યો છે.જેના કારણે સ્થાનિક લોકો પર આર્થિક ભારણમાં વધારો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વલસાડ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસનાં કાઉન્સિલર અને સ્થાનિકોએ  નગરપાલિકાના વહીવટદારને આવેદનપત્ર પાઠવી પાણી ઉપર વધારેલો 52 ટકાનો વેરા વધારાની જગ્યાએ 20 ટકા વેરા વધારવાની માંગ કરી છે. જો વેરા ઘટાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં  આવી હતી. સ્થાનિક અગ્રણીઓએ વહીવટદાર આસ્થા સોલંકીને લેખિત આવેદનપત્ર પાઠવી પાણી વેરાનો વધારો પાછો ખેંચવા માંગ કરી છે.વેરા વધારા મુદ્દે 3 હજાર જેટલી વાંધા અરજીઓને ધ્યાને લેવામાં ન આવી હોવાના આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા હતા. 
Read the Next Article

ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચ્યો

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના 235 નવા કેસ નોંધાયા છે.  આ સાથે જ રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચી ગયો છે.  

એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરના  235 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે. જેમાં  33 હોસ્પિટલમાં દાખલ છે.  જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 106 દર્દી સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  

કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય

છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોનાના 769 નવા કેસ (Covid 19 Cases Updates) નોંધાયા છે. આ સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા છ હજારને વટાવી ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે આંકડા જાહેર કર્યા હતા. મંત્રાલય અનુસાર, કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. ત્યારબાદ ગુજરાત, બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તૈયારીઓનો હિસ્સો લેવા માટે કેન્દ્ર 'મોક ડ્રીલ' કરી રહ્યું છે. તમામ રાજ્યોને ઓક્સિજન, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.