સાબરકાંઠા: હિમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું કરૂણ મોત
હિમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કરૂણ મોત નીપજયું હતું
BY Connect Gujarat Desk16 Dec 2022 7:16 AM GMT
X
Connect Gujarat Desk16 Dec 2022 7:16 AM GMT
સાબરકાંઠા જિલ્લાના હિમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કરૂણ મોત નીપજયું હતું
સાબરકાંઠામાં અકસ્માતોની હારમાળા સર્જાઇ રહી હોય તેમ વધુ એક માર્ગ અકસ્માત નોંધાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. વિગતે જોઇએ તો, શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો જેમાં ગાંભોઈ પાસે રણાસણ ચોકડી પર એક વાહન પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. કેબીનમાં ફસાયેલા ટ્રક ડ્રાઇવરનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે.
Next Story