સાબરકાંઠા : વીરપુર ગામે રીંછે કર્યો 2 લોકો પર જીવલેણ હુમલો, રીંછને પાંજરે પુરવા વન વિભાગની કવાયત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામે રીંછે 2 લોકો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી.

New Update
સાબરકાંઠા : વીરપુર ગામે રીંછે કર્યો 2 લોકો પર જીવલેણ હુમલો, રીંછને પાંજરે પુરવા વન વિભાગની કવાયત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામે રીંછે 2 લોકો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. બનાવના પગલે વન વિભાગ સહિત પોલીસ વિભાગે રીંછને પાંજરે પુરવા રેસક્યું હાથ ધર્યું હતું.

હાલ ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ ગરમીને લઈ વન્યપ્રાણીઓ ખોરાકની શોધમાં આમતેમ ફરી રહ્યા છે, ત્યારે હિંમતનગરના વીરપુર ગામમાં આવેલ રેલ્વે કોલોની બાજુની સરકારી ગૌચર જમીનમાં રીંછ આવી ચઢ્યું હતું. જોકે, ગામના કેટલાક શ્રમિકો ખેતી કામ અર્થે જતાં હતા. તે દરમ્યાન રીંછે 2 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, અન્ય લોકો આવી જતાં રીંછ ત્યાથી નાસી છૂટ્યું હતું.

જોકે, રીંછના હુમલામાં બન્નેને નાની મોટી ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વીરપુર ગામમાં રીંછ આવી ચઢતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ વન વિભાગના અધિકારી સહિત ગ્રામ્ય પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યું હતું, ત્યારે હાલ તો રીંછને વહેલી તકે પાંજરે પુરવા વન વિભાગ સહિત પોલીસ વિભાગે રેસક્યું હાથ ધર્યું છે.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
Latest Stories