સાબરકાંઠા : સાબરડેરી સામે પશુપાલકોનું દૂધ બંધ આંદોલન યથાવત, દૂધ ન ઢોળી નોંધાવાયો અનોખો વિરોધ

પશુપાલકોની 3 માંગ હવે મુખ્ય બની છે, જેમાં પશુપાલકોને 20 ટકાથી વધુ ભાવ ફેર, જે ખોટા કેસ કરેલ છે તેમને મુક્ત કરવા અને જે પશુપાલકનું મોત થયું છે, તેના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ.

New Update
  • સાબરડેરી સામે પશુપાલકોનું દૂધ બંધ આંદોલન યથાવત

  • કેટલાક પશુપાલકો દૂધ ઢોળી કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન

  • તો કેટલાક દૂધ ઉત્પાદકોનો દૂધ ન ઢોળી અનોખો વિરોધ

  • જરૂરિયાતમંદો અને શાળાના બાળકોને કર્યું દૂધનું વિતરણ

  • દૂધનો વ્યય ન કરી યોગ્ય રીતે વિરોધ દર્શાવવાની અપીલ

સાબરડેરી સામે પશુપાલકોનું દૂધ બંધ આંદોલન દિવસેને દિવસે વધી રહ્યુ છેત્યારે કેટલાક પશુપાલકો દૂધ ઢોળી વિરોધ કરી રહ્યા છેતો સામે કેટલાક દૂધ ઉત્પાદકો દૂધ ન ઢોળી અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે.

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી ખાતે ગત 14 તારીખે પશુપાલકો ભાવફેરને લઈ રજુઆત કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ પશુપાલકોની રજુઆત સાંભળવા કોઈ પહોચ્યુ ન હતુઅને અચાનક જ ઘર્ષણ સર્જાતા પથરાવ થયો હતો.

એ દિવસથી જ પશુપાલકોએ વિરોધ દર્શાવી દૂધ બંધ કર્યુ હતુંઅને આજ સુધી અલગ અલગ રીતે દૂધ બંધ કરી વિરોધ દર્શાવી રહ્યા છેત્યારે કેટલાક પશુપાલકો દૂધ મંડળી આગળ દૂધ ઢોળી વિરોધ કરી રહ્યા છેતો કેટલાક પશુપાલકો દૂધ ન ઢોળી જરૂરિયાતમંદ અને શાળાના બાળકોને દૂધ આપી રહ્યા છે.

પશુપાલકોની 3 માંગ હવે મુખ્ય બની છેજેમાં પશુપાલકોને 20 ટકાથી વધુ ભાવ ફેરજે ખોટા કેસ કરેલ છે તેમને મુક્ત કરવા અને જે પશુપાલકનું મોત થયું છેતેના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ.

હિંમતનગરના હડીયોલ દુધ મંડળીમાં દૈનિક 1300 લિટર દૂધની આવક થાય છેત્યારે 15 તારીખથી અહી દૂધ બંધ કરવામાં આવ્યુ છેઅને 800 લીટર જેટલા દૂધનું ગામની માધ્યમિકપ્રાથમિક અને ખાનગી શાળાના બાળકોને દૂધપાક બનાવીને વિતરણ કરવામાં આવ્યું હતું.

ગામના યુવાનો દ્વારા દૂધનો વ્યય ન કરી તેને યોગ્ય રીતે જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી રહ્યા છે. જેના કારણે બાળકોમાં પણ ખુશી જોવા મળી છે. તમામ પશુપાલકોને પણ ગામલોકો અપીલ કરી રહ્યા છે કેદૂધ ઢોળવુ ન જોઈએ પણ જરૂરિયાતમંદ સહિત શાળામાં આપી યોગ્ય વિરોધ દર્શાવવો જોઈએ.

Read the Next Article

અમરેલી : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ-પ્રકૃતિ પ્રેમી-વિદ્યાર્થીઓએ “સિંહ બચાવો”ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી...

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • આજે 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

  • વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આયોજન કરાયું

  • ગીરની શાન ગણાતા સિંહો માટે જનજાગૃતિ રેલી યોજાય

  • સિંહના મુખોટા પહેરી અનેક વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા

  • સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવો પ્રયાસ :RFO

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગપ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ... ગીરની શાન ગણાતા સિંહો માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માન અને મોભા સાથે દેશભરમાં ઉજવાય છેત્યારે સિંહોના સામ્રાજ્ય એવા અમરેલી જિલ્લામાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધારીખાંભાસાવરકુંડલારાજુલા સહિતના પંથકમાં શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરીને સિંહો બચાવવા માટે રેલી યોજી હતી. જેમાં વન વિભાગ સહિત પ્રકૃતિ પ્રેમીઓ પણ જોડાયા હતા. ગીરના ગ્રામીણ ગામડાઓ સાથે બૃહદ ગીરના ગામોમાં સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવા સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રસંગે સાવરકુંડલા વનવિભાગના અધિકારીઓશિક્ષણ વિભાગપોલીસ અને રાજકીય મહાનુભાવોએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આયોજિત જનજાગૃતિ રેલી સહિતના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.