Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ખેડૂતોની આજીજી..!વરસાદની રાહ જોતા પાકને ભારે નુકસાન થવાની ભીતિ

સાબરકાંઠા જીલ્લામાં નહિવત વરસાદ, ખેડુતોએ હાલ વાવેતર શરૂ કર્યુ, ખેડુતોની હાલત કફોડી બની

X

ચોમાસુ સિઝનને લઈ ખેડૂતો હાલ તો વાવેતર શરૂ કર્યુ છે પરંતુ વરસાદ ન થતા વરસાદની રાહ જોતા ખેડૂતોની હાલત કફોડી બની છે જો બે દિવસમાં વરસાદ ન વરસે તો ખેડુતોના પાકને ભારે નુકસાન થઈ શકે તેમ છે.

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસુ વાવેતરમાં મગફળી, કપાસ નું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યુ છે કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસના વધારે ભાવ મળ્યા હતા અને જેને લઈને આ વખતે પણ ખેડૂતો વધુ વાવેતર કર્યું છે, પરંતુ ચાલુ વર્ષે સાબરકાંઠા જીલ્લામાં નહિવત વરસાદ છે, પહેલા એક દિવસ વરસાદ આવ્યો જેનાથી જમીનમાં ભેજ થઈ ગયો અને એટલે ખેડૂતો કપાસ અને મગફળીનુ વાવેતર કરી દીધું હતું,પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુંજાવા લાગ્યો છે.આમ તો ગત વર્ષે વરસાદ ઓછો વરસ્યો હતો અને જેના કારણે કુવાના તળ પણ ઊંડા ગયા છે જળાશયોમાં પણ નહિવત પાણી હાલ ઉપલબ્ધ છે તો સામે કેનાલ મારફતે પણ પાણી છોડાતું નથી જેથી ખેડુતો ની હાલત હાલ તો કફોડી બની ગઈ છે.વરસાદ પણ જાણે કે ખેડુતો ને હાથ તાળી આપી રહ્યો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

Next Story