સાબરકાંઠા : પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો,122 નવ દંપતિઓએ પ્રમુતામા પગલા પાડ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 122 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

New Update
  • પ્રથમ સાંસદ સમૂહ લગ્નોત્સવ યોજાયો

  • 122 યુગલોએ પ્રભુતામાં પાડ્યા પગલા

  • સાંસદ શોભના બારૈયા દ્વારા કરાયું આયોજન

  • મુખ્યમંત્રી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • CMએ નવયુગલોને પાઠવી શુભેચ્છા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 122 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આમોદરા ખાતે આજે સાંસદ વ્હાલી દિકરી સમુહ લગ્નોત્સવ નુ આયોજન કરવામાં આવ્યા હતુ.જેમાં 122 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,દિવ દમણ,દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલઅન્ન પુરવઠા પ્રધાન સહિત સાબરકાંઠા અરવલ્લીના ધારાસભ્યો સહિત રાજકીય અને સામાજિક આગેવાનો સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રથમ વખત સાંસદ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં 122 યુગલોને કન્યાદાનની તમામ કીટ સહિત પાનેતર આપવામાં આવ્યા હતા. સમૂહ લગ્નોત્સવનું આયોજન જીલ્લાના સાંસદ શોભના બારૈયા અને તેમના પતિ પુર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.સમુહ લગ્નોત્સવમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેનું પણ ધ્યાન રખાયું હતુંઅને શાંતિપૂર્ણ રીતે સમુહ લગ્નોત્સવ પૂર્ણ થયો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તમામ નવયુગલોને આશીર્વાદ આપીને લગ્ન જીવનની સફળતા  માટે શુભેચ્છા પાઠવી હતી.

Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના અશા ગામે વિજય દર્શન યોગા આશ્રમમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાય...

ઝઘડિયા તાલુકાના અશા ગામ સ્થિત વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગુરુભક્તો જોડાયા...

New Update
  • ઝઘડિયાના અશા ગામ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

  • વિજય દર્શન યોગા આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાય

  • ઉજવણી પ્રસંગે સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતી

  • યુવાઓને વ્યસનથી દૂર રહી યોગ કરવા માર્ગદર્શન આપ્યું

  • મોટી સંખ્યામાં ગુરુભક્તોએ ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો લીધો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા ગામ સ્થિત વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગુરુભક્તો જોડાયા હતા.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ આશ્રમો તેમજ પૌરાણિક મંદિરોમાં આજરોજ ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતીત્યારે અશા ગામમાં નર્મદા કિનારે આવેલ  સુપ્રસિદ્ધ વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા દીપપ્રાગટય કરી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કેઆજે ગુરૂને યાદ કરવાનો દિવસ ગુરુપૂર્ણિમા છે. ગુરુ રાજેશ્રી મુનીને યાદ કરી તેઓએ તેમની વાતો અને વિચારો રજૂ કર્યા હતા. આપણું ધડતર ગુરુ કરે છેસાથે જ યુવાઓને વ્યસનથી દૂર રહી યોગ અને સાધના કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા સહિત મોટી સંખ્યામાં ગુરુભક્તોએ ઉપસ્થિત રહ્યા હતા.