સાબરકાંઠા : પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો,122 નવ દંપતિઓએ પ્રમુતામા પગલા પાડ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 122 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

New Update
  • પ્રથમ સાંસદ સમૂહ લગ્નોત્સવ યોજાયો

  • 122 યુગલોએ પ્રભુતામાં પાડ્યા પગલા

  • સાંસદ શોભના બારૈયા દ્વારા કરાયું આયોજન

  • મુખ્યમંત્રી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • CMએ નવયુગલોને પાઠવી શુભેચ્છા

Advertisment

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 122 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આમોદરા ખાતે આજે સાંસદ વ્હાલી દિકરી સમુહ લગ્નોત્સવ નુ આયોજન કરવામાં આવ્યા હતુ.જેમાં 122 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,દિવ દમણ,દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલઅન્ન પુરવઠા પ્રધાન સહિત સાબરકાંઠા અરવલ્લીના ધારાસભ્યો સહિત રાજકીય અને સામાજિક આગેવાનો સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રથમ વખત સાંસદ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં 122 યુગલોને કન્યાદાનની તમામ કીટ સહિત પાનેતર આપવામાં આવ્યા હતા. સમૂહ લગ્નોત્સવનું આયોજન જીલ્લાના સાંસદ શોભના બારૈયા અને તેમના પતિ પુર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.સમુહ લગ્નોત્સવમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેનું પણ ધ્યાન રખાયું હતુંઅને શાંતિપૂર્ણ રીતે સમુહ લગ્નોત્સવ પૂર્ણ થયો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તમામ નવયુગલોને આશીર્વાદ આપીને લગ્ન જીવનની સફળતા  માટે શુભેચ્છા પાઠવી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો, 33 અરજીઓનો કરાયો નિકાલ

નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.

New Update
1

જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના  અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રકારના ૩૩ પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. આ તમામ પ્રશ્નો અંગે અરજદારોને સાંભળી જિલ્લા, સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રૂબરૂ ચર્ચા કરી સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવી અરજદારોને સંતોષકારક જવાબ આપી અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Advertisment