સાબરકાંઠા : પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો,122 નવ દંપતિઓએ પ્રમુતામા પગલા પાડ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 122 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

New Update
  • પ્રથમ સાંસદ સમૂહ લગ્નોત્સવ યોજાયો

  • 122 યુગલોએ પ્રભુતામાં પાડ્યા પગલા

  • સાંસદ શોભના બારૈયા દ્વારા કરાયું આયોજન

  • મુખ્યમંત્રી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • CMએ નવયુગલોને પાઠવી શુભેચ્છા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુરા-આમોદરા ખાતે પ્રથમ સાંસદ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 122 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આમોદરા ખાતે આજે સાંસદ વ્હાલી દિકરી સમુહ લગ્નોત્સવ નુ આયોજન કરવામાં આવ્યા હતુ.જેમાં 122 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,દિવ દમણ,દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલઅન્ન પુરવઠા પ્રધાન સહિત સાબરકાંઠા અરવલ્લીના ધારાસભ્યો સહિત રાજકીય અને સામાજિક આગેવાનો સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રથમ વખત સાંસદ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં 122 યુગલોને કન્યાદાનની તમામ કીટ સહિત પાનેતર આપવામાં આવ્યા હતા. સમૂહ લગ્નોત્સવનું આયોજન જીલ્લાના સાંસદ શોભના બારૈયા અને તેમના પતિ પુર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.સમુહ લગ્નોત્સવમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેનું પણ ધ્યાન રખાયું હતુંઅને શાંતિપૂર્ણ રીતે સમુહ લગ્નોત્સવ પૂર્ણ થયો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તમામ નવયુગલોને આશીર્વાદ આપીને લગ્ન જીવનની સફળતા  માટે શુભેચ્છા પાઠવી હતી.

Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ