સાબરકાંઠા: હિંમતનગરમાં મિડીયાકર્મીઓ માટે રેડ ક્રોસ સોસાયટી દ્વારા હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ફરજ બજાવતા મિડીયાકર્મીઓ માટે રેડ ક્રોસ સોસાયટી તેમજ માહિતી વિભાગના સહયોગ થી હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • હિંમતનગરમાં મિડીયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

  • ફિટ ઇન્ડિયા ફિટ મિડીયા અંતર્ગત કાર્યક્રમનું કરાયું આયોજન 

  • રેડક્રોસ સોસાયટી દ્વારા કરાયું હેલ્થ ચેકઅપ

  • માહિતી વિભાગના સહયોગથી હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો

  • હિંમતનગરના મિડીયાકર્મીઓએ કેમ્પનો લીધો લાભ 

ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મિડીયા અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ફરજ બજાવતા મિડીયાકર્મીઓ માટે રેડ ક્રોસ સોસાયટી તેમજ માહિતી વિભાગના સહયોગ થી હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મિડીયા અંતર્ગત જિલ્લા માહિતી વિભાગ તેમજ રેડ ક્રોસ સોસાયટી દ્વારા મિડીયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપનું નિ:શુલ્ક આયોજન કરાયું હતું. જે અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા મિડીયાકર્મીઓ માટે વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ સહિત એક્સરે અને હૃદય સંબંધી ટેસ્ટ કરાયા હતા.

જોકે આ તબક્કે વાત કરતા રેડ ક્રોસ સોસાયટીના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાનો કોન્સેપ્ટ ખુબ જ મહત્વનો છે.મિડીયાએ દેશનો ચોથો આધાર સ્તંભ છે ત્યારે તેનું ફિટ રહેવું પણ એટલું જ જરૂરી છે.જે અંતર્ગત આજે યોજાયેલો આ હેલ્થ ચેકઅપનો કેમ્પ મિડીયાકર્મીઓની ફિટનેસ સહિત જાગૃતિ લાવવા પણ મહત્વનો ભાગ ભજવશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.