સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વચ્ચે ખેતી નિષ્ફળ જવાની સંભાવના, 15 પશુઓના પણ મોત...

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે.

New Update
  • ખેડબ્રહ્મા પંથકમાં વરસ્યો હતો અનરાધાર વરસાદ

  • લક્ષ્મીપુરાગલોડીયા રોધરા ગામે તારાજી સર્જાય

  • 700 એકર જમીન ખેતી નિષ્ફળ જવાની સંભાવના

  • વરસાદ વચ્ચે 15 જેટલા પશુઓના મોત થયા

  • નુકસાન અંગે તંત્ર પાસે લોકોની મદદની અપેક્ષા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. રોધરા ગામે 700 એકર જેટલી જમીન ઉપર ખેતી નિષ્ફળ જવાની સંભાવનાઓ છે. તો બીજી તરફ 15 જેટલા પશુઓના મોત થયા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના રોદરા ગામે વરસેલા 15 ઇંચ જેટલા વરસાદના પગલે સ્થાનિક કક્ષાએ ભારે તારાજી સર્જાય છે. ભારે વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ 700 એકર જેટલી જમીન ઉપર મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. અહી 100 ટકા ડ્રીપ ધરાવનારા ગામની સમગ્ર ટપક સિંચાઈ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ચૂકી છેજેના પગલે ખેડૂતોને પાક સહિત ડ્રીપ તણાઈ જવાથી વ્યાપક નુકસાન સર્જાયું છે. જોકેઅડધી રાત્રે આવેલા પૂરના પગલે 10થી 15 જેટલા પશુઓના પણ મોત થયા છે. ગામમાં થયેલા પારાવાર નુકસાન મામલે સ્થાનિકો તંત્ર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.

Read the Next Article

નવસારી : જાહેરમાં કચરો નાખનાર સાવધાન,મહાનગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા લગાવી બાજ નજર રખાશે

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના છ સ્થળોએ કચરો નાખવાના વિવિધ સ્થાન પર  સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. કચરાપેટી બહાર કચરો નાંખનારા પર કડક કાર્યવાહી કરવામાં આવશે

author-image
By Connect Gujarat Desk
New Update
  • મહાનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું

  • જાહેરમાં કચરો નાખનાર હવે દંડાશે

  • મનપા સીસીટીવી કેમેરાથી રાખશે નજર

  • કચરો કચેરાપેટીમાં જ નાખવા અપીલ

  • નિયમનો ભંગ કરશો તો થશે દંડાત્મક કાર્યવાહી 

નવસારી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા તરફથી મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. હવે કચરો ફેંકનારાઓએ સાવધાન રહેવું પડશે કારણ કે દરેક હરકત પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના છ સ્થળોએ કચરો નાખવાના વિવિધ સ્થાન પર  સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. કચરાપેટી બહાર કચરો નાંખનારા પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.આ તમામ સ્થળોનું મોનિટરિંગ હવે સીધું મહાનગરપાલિકા કચેરીમાંથી કરવામાં આવી રહ્યું છે. શહેરમાં આ પોઇન્ટ ઉપર જો કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કચરો નાખતી જોવા મળશેતો તેના સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેનું મહત્વરૂપ પગલું ભર્યું છે,ત્યારે નાગરિકો પણ મનપાના આ કાર્યમાં સહયોગ આપે તે પણ જરૂરી છે.