સાબરકાંઠા : હાથમતી નદીની દુર્દશાથી સ્થાનિક લોકોમાં રોષ,ખુદ પાલિકાતંત્ર જ ગંદકી ફેલાવતુ હોવાની ઉઠી ફરિયાદ

હાથમતી નદીમાં ગંદકીએ સામ્રાજ્ય સ્થાપી દીધું છે,જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખુદ પાલિકાતંત્રના પાપે નદી પ્રદૂષિત થઈ હોવાની ફરિયાદો પણ લોક મોઢે ઉઠવા પામી

New Update
  • હાથમતી નદીની દુર્દશાથી સ્થાનિકોમાં રોષ

  • નદીમાં ગંદકીએ કરી છે જમાવટ

  • નદીના પાણીમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા

  • ખુદ પાલિકા તંત્ર જ નદીમાં ફેલાવે છે ગંદકી

  • મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં કરાઈ રજૂઆત 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હાથમતી નદીમાં ગંદકીએ સામ્રાજ્ય સ્થાપી દીધું છે,જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખુદ પાલિકાતંત્રના પાપે નદી પ્રદૂષિત થઈ હોવાની ફરિયાદો પણ લોક મોઢે ઉઠવા પામી છે.

સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરની હાથમતી નદી ગંદકીથી ખદબદી રહી છે,અસહ્ય દુર્ગંધ ફેલાવવાના કારણે સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે,એક તરફ સ્વચ્છતા અંગે પાલિકાનું તંત્ર લોકોને અપીલ કરી રહ્યું છે,તો બીજી તરફ ખુદ પાલિકા જ હાથમતી નદીમાં ગંદકી ફેલાવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. 

હાથમતી નદી હવે ગંદકીથી દુર્ગંધ મારી રહી છે. આસપાસના વિસ્તારમાં જેને લઈ સતત દુર્ગંધની પરેશાની સર્જાઈ રહી છે.તો બીજી તરફ અનેક વાર સરકારી તંત્ર સિંચાઈ વિભાગ અને પાલિકા વચ્ચે નોટિસના કાગળિયાઓનો પણ ખેલ ચાલતો રહે છે અને ગંદકીમાં વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે સ્થાનિક નાગરીકે સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.જેને લઈ હવે આખોય મામલો સામે આવ્યો છે કે પાલિકા દ્વારા જ શહેરની ગટર લાઈનને નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે નદીમાં ગંદકીના ઢગ અને ગંદા પાણીનો જમાવડો જામ્યો છે.

નગરપાલિકા દ્વારા હાથમતી નદીમાં ગંદકી નહીં ફેલાવવા માટે સૂચનાઓ લખવામાં આવે છે.અને લખોના ખર્ચે બોર્ડ પણ લગાડવામાં આવે છે,પરંતુ નદી કાંઠે લગાવેલા આવા સૂચન બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છેત્યાં જ વળી આ પાલિકા તંત્ર દ્વારા જ શહેરની ગટરના પાણીને નદીમાં છોડી રહ્યું છે.

આ ઉપરાંત નદીમાં ઠેર ઠેર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે.માત્ર નદીમાં લીલ અને ઝાડી ઝાંખરા જ દેખાઈ રહ્યા છે.ત્યારે તંત્ર દ્રારા આ કચરો પણ દૂર કરવો જોઈએ તેવી પણ માંગ ઉઠી છે. નોંધનીય છે કે વિપક્ષે પણ આ મામલે વિરોધ કર્યો છે. તો બીજી તરફ પાલિકાએ હવે આ ગટરના જોડાણને અટકાવી દેવા માટેની બાંહેધરી આપી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.