સાબરકાંઠા : વડાલીમાં સામૂહિક આપઘાતના પ્રયાસથી ચકચાર,માતા પિતાનું મોત, બાળકો સારવાર હેઠળ

સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતપિતાનાં મોત નીપજ્યા છે.જ્યારે 3 બાળકોએ હજી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

author-image
By Connect Gujarat Desk
New Update
  • વડાલીમાં પરિવારનો સામુહિક  આપઘાતનો મામલો

  • પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવતા ખળભળાટ

  • સામુહિક આપઘાતમાં માતા પિતાનું મોત

  • માતા બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • પોલીસ તંત્ર દ્વારા ઘટનાની શરૂ કરાઈ તપાસ

Advertisment

સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતપિતાનાં મોત નીપજ્યા છે.જ્યારે 3 બાળકોએ હજી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ સગર પરિવારના સભ્યોએ કર્યો છે. એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી.પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા ગટગટાવતા ભારે હડકંપ મચી ગયો છે અને સામૂહિક આપઘાતમાં સારવાર દરમિયાન માતાપિતાના મોત નીપજ્યા છે.જ્યારે ત્રણ બાળકો હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જો કે સામૂહિક આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે અને અચાનક આપઘાતના પગલે પરિવારમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.

Advertisment
Read the Next Article

હવામાન વિભાગની આગાહી: પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું

New Update
હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25થી 28 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને મેઘગર્જનને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો સાથેજ દરિયામાં કરંટ હોવાથી મોજા ઊછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 

Advertisment

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી કેરળમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગિરિથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું સમાન્ય રીતે 15 જૂનની આસપાસ બેસે છે.

Advertisment