સાબરકાંઠા: પ્રાંતિજમાં ગ્રામીણ પરંપરા મશાલ જ્યોત યંત્ર યુગમાં પણ યથાવત
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા ભારતીય સંસ્કૃતિ આજે પણ અંકબંધ છે,
અમદાવાદમાં જૂન 12 ના રોજ થયેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપ દ્વારા વળતરની જાહેરાત કરાયા બાદ હવે AIR INDIA એ પણ સહાય આપવાની જાહેરાત કરી છે.
અમદાવાદમાં જૂન 12 ના રોજ થયેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપ દ્વારા વળતરની જાહેરાત કરાયા બાદ હવે AIR INDIA એ પણ સહાય આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો અને ઘાયલોને ₹25 લાખ (અંદાજે 21,000 GBP) ની વચગાળાની રકમ આપવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયેલા આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોના દુર્ખદ અવસાન થયા હતા. આ વિમાન એક હોસ્પિટલના હોસ્ટેલ પર પડ્યું હતું, જેના કારણે ત્યાં રહેતા ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા.
AIR INDIA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા જણાવ્યું કે, "તાજેતરના અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એર ઇન્ડિયા એકતામાં ઉભી છે. આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં સંભાળ અને સહાય પૂરી પાડવા માટે અમારી ટીમો તમામ પ્રયાસો કરી રહી છે."
AIR INDIA એ તેની પોસ્ટમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "અમારા સતત પ્રયાસોના ભાગ રૂપે, એર ઇન્ડિયા (Air India) તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૃતકો અને બચી ગયેલા લોકોના પરિવારોને ₹25 લાખ અથવા આશરે 21,000 GBP ની વચગાળાની ચુકવણી (Interim Payment) કરશે."
મહત્વપૂર્ણ છે કે, આ સહાય ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલ ₹1 કરોડ અથવા આશરે 85,000 GBP સહાય ઉપરાંત છે. AIR INDIA એ વધુમાં જણાવ્યું કે આ અકસ્માત પછી થયેલા નુકસાનથી તેઓ બધા દુઃખી છે.
ટાટા ગ્રુપે આ દુર્ઘટના અંગે અગાઉ જ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ટાટા ગ્રુપ ₹1 કરોડનું વળતર આપશે. અમે ઘાયલોના તબીબી ખર્ચનો પણ ભોગ લઈશું અને ખાતરી કરીશું કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બી.જે. મેડિકલ ના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ."