સાબરકાંઠા : તલોદ પાસે STની મિનિ બસ અને કાર વચ્ચે ગોજારો અકસ્માત,એક જ પરિવારના 3ના મોત,4 ઇજાગ્રસ્ત

રાજયમાં અકસ્માતના બનાવોમાં વધારો થયો STની મિનિ બસ અને કાર વચ્ચે અકસ્માત

સાબરકાંઠા : તલોદ પાસે STની મિનિ બસ અને કાર વચ્ચે ગોજારો અકસ્માત,એક જ પરિવારના 3ના મોત,4 ઇજાગ્રસ્ત
New Update

સાબરકાંઠાના તલોદ પાસે STની મિનિ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત થયું હતું અને અકસ્માતમાં 4થી વધુ લોકોને ઈજા પહોંચતા તલોદ હોસ્પિટલ ખસેડાયા.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અકસ્માતમાં મોતના બનાવ વધ્યાં છે. તલોદના દેગમાળ તળાવ પાસે ગુજરાત એસટીની GJ 18 Z 2939 નંબરની મિનિ બસ અને GJ 02 CA 1812 નંબરની અર્ટિકા કાર સામસામે ધડાકાભેર અથડાયા હતા. જેમાં એક જ પરિવારના પિતા-પુત્ર અને ભત્રીજાના કમકમાટીભર્યા મોત થયા હતા. મૃતકમાં ઝાલા વકતુસિંહ, ઝાલા આદરસિંહ, ઝાલા જેસલસિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતના બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

ઘટનાસ્થળે આસપાસથી સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ લોકોએ ઘટનામાં ભોગ બનેલા ચાર ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવની તલોદ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

#injured #police #cars #Talod #Connect Gujarat #ST minibuses #Gujarat #killed #Several accidents #Sabarkantha
Here are a few more articles:
Read the Next Article