Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: તલોદના જોરાજીના મુવાડાના ત્રણ યુવાનોને અકસ્માત, 2 લોકોના મોત

તલોદના જોરાજીના મુવાડાના ત્રણ યુવાનોને અકસ્માત નડયો જેમા અકસ્માતમા બેના ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસે બાઇક ઉપર જઇ રહેલા તલોદના જોરાજીના મુવાડાના ત્રણ યુવાનોને અકસ્માત નડયો જેમા અકસ્માતમા બેના ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતું સાબરકાંઠા પ્રાંતિજના મજરા ચોકડી પાસે તલોદના જોરાજીના મુવાડાના ત્રણ યુવાનો જેમા હિતેન્દ્રસિંહ રાજુસિંહ પોતાનુ બાઇક નંબર GJ09DL3903 ઉપર પોતાના બે મિત્રો ઝાલા રાહુલ સિંહ જીન્દુસિંહ તથા અકિત ધાનુસિંહ ઝાલા સાથે બોરીયા સીતવાડાખાતે મામાના ધરે જઇ રહ્યો હતો તે દરમ્યાન મજરા રોડ ઉપર ટ્રકેટરનુ ટ્રેલર ધંઉ ભરેલ ખાલી ટ્રેલર ઉભુ હોય તેની પાછળ બાઇક ધુસી ગયુ હતુ..

જેમા હિતેન્દ્રસિંહ ઝાલા તથા અકિત ઝાલાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેવોનુ ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ તો ઝાલા રાહુલ સિંહને શરીરે તથા માથાના ભાગે ઈજાઓ પહોચતા તેને ૧૦૮ મારફતે પહેલા તલોદ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામા આવ્યો હતો તો અકસ્માતને લઈને લોકોના ટોળેટોળા ધટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા તો અકસ્માતના સમાચાર પ્રાંતિજ પોલીસને મળતા પ્રાંતિજ પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો અને બન્ને મૃતકોને પીએમ અર્થે ખસેડવામા આવ્યા હતા તો જોરાજીના મુવાડા ગામના બે યુવાનોના મોતને લઈને પરિવાર સગાસંબધીઓ સહિત ગામમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ

Next Story