સાપુતારા : માલેગાંવ ઘાટમાં ખાનગી બસ પલટી મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત,5 યાત્રીઓના કરુણ મોત

ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો હતો, નાસિકથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી,

New Update
  • સાપુતારા ઘાટ માર્ગમાં સર્જાયો ગોઝારો અકસ્માત

  • વહેલી સવારે ખાનગી બસ ખીણમાં ખાબકી

  • બસમાં સવાર પાંચ યાત્રાળુઓના કરૂણ મોત

  • 45 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા

  • ચારધામની યાત્રા પરથી પરત ફરી રહ્યા હતા યાત્રીઓ

Advertisment W3.CSS

ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો હતોનાસિકથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી,સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 5 યાત્રાળુઓના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 45 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે.

ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો હતોનાસીકથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી,જેમાં 5 લોકોના મોત થયા છે.જ્યારે 45 લોકો ઘાયલ થયા છે. સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.આ બસમાં 50 લોકો સવાર હતા.

ઘટનામાં ઈજા પામનાર 45 મુસાફરને શામગહાન સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે. જેમાંથી ગંભીર રીતે ઇજા પામનાર લોકોને આહવા તેમજ સુરત રીફર કરવામાં આવ્યા છે.અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટર ઘટનાસ્થળે પહોંચી બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું છે.

જાણવા મળ્યા મુજબ મધ્યપ્રદેશ જિલ્લાના ગુનાશીવપુરી અને અશોકનગરના રહેવાસી યાત્રાળુઓ ખાનગી બસમાં ચારધામની યાત્રા કરીને પરત ફરી રહ્યા હતા.બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા બસનો બુકડો બોલી ગયો હતો.

 

Read the Next Article

અંકલેશ્વર: જીતાલી ગામેથી ગાંજાનો જથ્થો ઝડપાયો, રૂ.54 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ એસ.ઓ જીએ  અંકલેશ્વરના જીતાલી ગામની આલીશાન સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સહિત 54.34 લાખનો મુદ્દામાલ સાથે બે મહિલાઓ આરોપીને ઝડપી પાડી હતી.

New Update
  • ભરૂચ સ્પેશ્યલ ઓપરેશ ગ્રુપની કાર્યવાહી

  • અંકલેશ્વરના જીતાલી ગામેથી ઝડપાયો ગાંજો

  • 2 મહિલા આરોપીઓની ધરપકડ

  • રૂ.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • બન્નેના પતિ વોન્ટેડ જાહેર

Advertisment W3.CSS
ભરૂચ એસ.ઓ જીએ  અંકલેશ્વરના જીતાલી ગામની આલીશાન સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સહિત 54.34 લાખનો મુદ્દામાલ સાથે બે મહિલાઓ આરોપીને ઝડપી પાડી હતી.
ભરૂચ એસ.ઓ.જીના પી.એસ.આઈ એમ.એચ.વાઢેર સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામની આલીશાન સિટીમાં રહેતો સુભાષ શિવચંદ યાદવ અને તેનો બનેવી કુંદન મદન રાય તેની પત્ની સાથે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે આલીશાન સિટીમાં દરોડા પાડ્યા હતા પોલીસ ને 2 સ્થળોએથી 2.221 કિલો ગાંજો મળી આવ્યો હતો.પોલીસે 22 હજારથી વધુની કિંમતનો ગાંજો અને રોકડા 27.17 લાખ તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 54.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુમન સુભાષ શિવચંદ યાદવ અને સંજુદેવી કુંદન મદન રાયને ઝડપી પાડી હતી.જ્યારે બેનેના પતિઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.