સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ,ચિંતાજનક રીતે વધી રહ્યા છે અકસ્માત

રખડતાં ઢોરને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું પરંતુ હાલ પણ પરિસ્થિતિ જેમની તેમ જ છે

New Update

સેલવાસમાં રખડતા ઢોરનો ત્રાસ

રસ્તા વચ્ચે અડિંગઓ જમાવીને બેસતા ઢોર

સર્જાય રહ્યા છે માર્ગ અકસ્માત

પાલિકાને રજુઆત બાદ પણ પરિણામ શૂન્ય

અકસ્માતના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ

સેલવાસ નગરપાલિકા વિસ્તારોમાં વિવિધ સ્થળોએ રખડતા ઢોર જોવા મળી રહયા છે, રખડતા ઢોર રસ્તા ઉપર કબજો જમાવીને બેસી જતા ટ્રાફિક જામની સાથે માર્ગ અકસ્માતની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે.
સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર રાહદારીઓ માટે મુશ્કેલરૂપ બની રહયા છે,જાણવા મળ્યા મુજબ રિંગ રોડ પર એક સપ્તાહ પહેલા થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તથા નરોલી રોડ કસ્તુરી પાસે બી.એમ.ડબ્લ્યૂ કાર અને ગાયને અકસ્માત થતા ગાયનું મૃત્યુ થયું હતું.
જ્યારે નરોલીમાં બે ગાયના અકસ્માતના કારણે મૃત્યુ થયા હતા.નરોલીના રાજકીય અગ્રણી યોગેશ સોલંકીએ આ મુદ્દે પ્રશાસનને વિનંતી કરી હતી કે રખડતા ઢોર જો માલિકીના હોય તો માલિક ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે.
ખરાબ રસ્તા અને રખડતાં ઢોરને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું પરંતુ હાલ પણ પરિસ્થિતિ જેમની તેમ જ છે.નગર પાલિકાના કાઉન્સેલર સુમન પટેલે પણ રખડતા ઢોરને પકડવા માટે કાર્યવાહી કરવા માટે કલેક્ટરને આવેદન આપ્યું હતું પરંતુ આ દિશામાં કોઈ પગલાં લેવામાં આવ્યા હોય એવી જાણકારી બહાર આવી નથી.
રખડતા ઢોર કે જે રસ્તા વચ્ચે અડિંગો જમાવીને બેઠા છે તેના કારણે એક ટુ વ્હીલર ચાલકને અકસ્માત નડે છે,ગાય સાથે ટુ વ્હીલર ચાલક અથડાતા રોડ પર ધસડાયને પડે છે.જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે,રખડતા ઢોર ને પરિણામે સર્જાતા અકસ્માત અને નિર્દોષ વ્યક્તિઓના જીવને જોખમરૂપ બનતી ઘટનાઓથી પણ તંત્ર કંઈક બોધપાઠ લે એ જરૂરી છે.
Read the Next Article

ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય, વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં કરાયો વધારો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો,

New Update
vrd bh

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. 

આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4,200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયનને પ્રતિ દિન રૂ. 3 હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. 2 હજાર માનદ વેતન આપવામાં આવતું હતું. 

રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટીંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. 8,500 અને સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોને રૂ. 2,700 આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 8,500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.