સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ,ચિંતાજનક રીતે વધી રહ્યા છે અકસ્માત

રખડતાં ઢોરને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું પરંતુ હાલ પણ પરિસ્થિતિ જેમની તેમ જ છે

New Update

સેલવાસમાં રખડતા ઢોરનો ત્રાસ

રસ્તા વચ્ચે અડિંગઓ જમાવીને બેસતા ઢોર

સર્જાય રહ્યા છે માર્ગ અકસ્માત

પાલિકાને રજુઆત બાદ પણ પરિણામ શૂન્ય

અકસ્માતના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ

સેલવાસ નગરપાલિકા વિસ્તારોમાં વિવિધ સ્થળોએ રખડતા ઢોર જોવા મળી રહયા છે, રખડતા ઢોર રસ્તા ઉપર કબજો જમાવીને બેસી જતા ટ્રાફિક જામની સાથે માર્ગ અકસ્માતની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે.
સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર રાહદારીઓ માટે મુશ્કેલરૂપ બની રહયા છે,જાણવા મળ્યા મુજબ રિંગ રોડ પર એક સપ્તાહ પહેલા થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તથા નરોલી રોડ કસ્તુરી પાસે બી.એમ.ડબ્લ્યૂ કાર અને ગાયને અકસ્માત થતા ગાયનું મૃત્યુ થયું હતું.
જ્યારે નરોલીમાં બે ગાયના અકસ્માતના કારણે મૃત્યુ થયા હતા.નરોલીના રાજકીય અગ્રણી યોગેશ સોલંકીએ આ મુદ્દે પ્રશાસનને વિનંતી કરી હતી કે રખડતા ઢોર જો માલિકીના હોય તો માલિક ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે.
ખરાબ રસ્તા અને રખડતાં ઢોરને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું પરંતુ હાલ પણ પરિસ્થિતિ જેમની તેમ જ છે.નગર પાલિકાના કાઉન્સેલર સુમન પટેલે પણ રખડતા ઢોરને પકડવા માટે કાર્યવાહી કરવા માટે કલેક્ટરને આવેદન આપ્યું હતું પરંતુ આ દિશામાં કોઈ પગલાં લેવામાં આવ્યા હોય એવી જાણકારી બહાર આવી નથી.
રખડતા ઢોર કે જે રસ્તા વચ્ચે અડિંગો જમાવીને બેઠા છે તેના કારણે એક ટુ વ્હીલર ચાલકને અકસ્માત નડે છે,ગાય સાથે ટુ વ્હીલર ચાલક અથડાતા રોડ પર ધસડાયને પડે છે.જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે,રખડતા ઢોર ને પરિણામે સર્જાતા અકસ્માત અને નિર્દોષ વ્યક્તિઓના જીવને જોખમરૂપ બનતી ઘટનાઓથી પણ તંત્ર કંઈક બોધપાઠ લે એ જરૂરી છે.
Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.