મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવ મંદિર સતત 42 ક્લાક ખુલ્લુ રહેશે, અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે

પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે મહા શિવરાત્રિના પર્વને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

New Update
મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવ મંદિર સતત 42 ક્લાક ખુલ્લુ રહેશે, અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે

પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે મહા શિવરાત્રિના પર્વને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી સોમનાથ મહાદેવ મંદિર સતત 42 કલાક સુધી ખુલ્લુ રહેશ

પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના દિવસે શિવભક્તોનો માનવ મહેરામણ શિવકૃપા પ્રાપ્ત કરવા પહોંચશે. જેને લઈ મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સતત 42 કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનુ વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યુ છે. દર્શનાર્થીઓએ સરકારની ગાઈડ લાઈનના ચૂસ્ત પાલન સાથે દર્શન કરવાના રહેશે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી દેશ-વિદેશના ભક્તો ઘરબેઠા મહાદેવના દર્શનનો લાભ લઈ શકશે.
તા.1 ને મંગળવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ચાર થી લઈ સતત 42 કલાક ભક્તજનો માટે ખુલ્લુ રહેશે. ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનશે. સોમનાથના માર્ગો શિવભક્તોનાં "જય સોમનાથ"ના નાદથી ગુંજી ઉઠશે. દર્શનાર્થીઓએ સરકારની ગાઇડ લાઈનના ચૂસ્ત પાલન સાથે દર્શન કરવાના રહેશે અને મહાશિવરાત્રિ મહોત્સવ- 2022ને લક્ષ્યમાં લઈ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભક્તિ, વિવિધ પૂજાવિધિ નોંધાવી તેમજ ગંગાજળ અભિષેક કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Latest Stories
    Read the Next Article

    સુરેન્દ્રનગર : આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટનું સેવાકાર્ય,દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે પગભર બને તેવા પ્રયાસ

    વિકલાંગ ટ્રસ્ટ  દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમા 100  જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે..

    New Update
    • આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટનો સ્તુત્ય પ્રયાસ

    • દિવ્યાંગ ભાઈ બહેનોને આપે છે તાલીમ

    • રાખડી,દીવડા સહિતની વસ્તુઓ બનાવે છે

    • દિવ્યાંગ ભાઈ બહેનોને મળી રહે છે રોજગારી

    • આર્થિક રીતે પગભર બને તેવો ટ્રસ્ટનો પ્રયાસ

    સુરેન્દ્રનગરમાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના કલ્યાણની ભાવના સાથે સેવાકાર્ય કરવામાં આવે છે.હાલમાં આ ભાઈ બહેનો રાખડી અને દીવડા બનાવીને પગભર થવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    સુરેન્દ્રનગર જિલ્લામાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ  દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમા 100  જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે.સાથે રાખડીનું કાચુ મટીરીયલ ઘરે લઈ જઈને પણ પોતે કામ કરે છે.જેમાં દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી કેવી રીતે  બનાવી તે  માટે સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે.અને દિવ્યાંગ ભાઈ બહેનો મહિને બે થી અઢી હજાર જેટલી આવક મેળવી શકે છે.

    રાખડીની સાથે બહેનોને સીવણનું કામ પણ આપવામાં આવે છે. સાથે દિવાળી ઉપર દીવડા બનવા તેને કલર કરવાનું કામ પણ મળે છે. અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે.રાખડીની સીઝનમાં ગત વર્ષે પાંચ હજારથી વધુ રાખડી દિવ્યાંગ બહેનોએ બનાવી હતી અને તેનું વેચાણ કર્યું હતું. આ વર્ષે હાલ રોજની 500 નંગ રાખડી બનાવીને  અંદાજીત 7 હજાર જેટલી રાખડી બનાવી અને તેનું વેચાણ  કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

    Latest Stories