બનાસકાંઠા : વીજ કરંટ લાગતાં માતા-પિતા સહિત પુત્રનું મોત, ધરાધરા ગામમાં શોકનો માહોલ...

બનાસકાંઠાથી વીજ કરંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યાં એક જ પરિવારના 3 સભ્યોના મોતથી શોકનો માહોલ

New Update
  • વાવ તાલુકાના ધરાધરા ગામમાં વીજ કરંટની ઘટના

  • એક જ પરિવારના 3 લોકોને વીજ કરંટ લાગતાં મોત

  • માતા-પિતા અને પુત્રનું વીજ કરંટ લાગતા કરૂણ મોત

  • એક જ પરિવારના 3 સભ્યોના મોતથી શોકનો માહોલ

  • અકસ્માતે મોત નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી 

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધરાધરા ગામમાં વીજ કરંટ લાગતાં માતા-પિતા અને પુત્રનું કરૂણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારના 3 સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો.

હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છેત્યારે કોઈપણ ઈલેક્ટ્રિક ઉપકરણોને હાથ અડાડતા પહેલા થોડું સાવધ રહેવાની જરૂર પડે છે. આ દરમિયાન બનાસકાંઠાથી વીજ કરંટની ચોંકાવનારી ઘટના સામે આવી છેજ્યાં ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યાં છે.

માતા-પિતા અને પુત્ર ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયા હતાજ્યાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાઅને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ત્રણેય મૃતદેહને વાવ ખાતેની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.

Latest Stories