/connect-gujarat/media/media_files/2025/05/20/1XLcI0pXexcNJ7bukpfX.jpg)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સચિવ પદે ફેરફાર કરવામાં આવ્યા છે,જેમાં IAS ડો.વિક્રાંત પાંડેની સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે,જ્યારે IAS અવંતિકા સિંઘને એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સચિવ તરીકે હાલમાં IAS અવંતિકા સિંઘ ચાર્જ સંભાળતા હતા.જોકે હવે મુખ્યમંત્રીના કાર્યાલયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે,જેમાં હાલમાં ગુજરાત સરકારના દિલ્હીના નિવાસી કલેકટર તરીકે ફરજ નિભાવતા IAS ડો.વિક્રાંત પાંડેની મુખ્યમંત્રીનાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ મહત્વપૂર્ણ ફેરફારમાં મુખ્યમંત્રી સચિવ પદથી બદલીને IAS અવંતિકા સિંઘની એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બંને IAS અધિકારીઓ ગુજરાતમાં કલેકટર તરીકેનો બહોળો અને સારો અનુભવ ધરાવે છે.