તાપી : પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે વિદ્યાર્થીનીઓમાં રોષ, MLA અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન

સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે. જેના વિરોધમાં વિદ્યાર્થીનીઓએ દ્વારા રેલી યોજી સેવાસદન ખાતે જઈ ધારણા પ્રદર્શન બાદ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરાય

New Update
  • સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય

  • વ્યારા ખાતે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ યોજી રેલી

  • સરકારના નિર્ણયનો વિદ્યાર્થીનીઓ દ્વારા નોંધાવાયો વિરોધ

  • વિરોધ વેળા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની હાજરી

  • સરકાર નિર્ણય પાછો નહીં ખેંચે તો ઉગ્ર આંદોલનની ચીમકી

તાપી જિલ્લાના વ્યારા ખાતે વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ દ્વારા રેલી યોજી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો.

તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીકથી ખાનગી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જે રેલીમાં વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગી આગેવાનો જોડાયા હતા. સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે. જેના વિરોધમાં વિદ્યાર્થીનીઓએ દ્વારા રેલી યોજી સેવાસદન ખાતે જઈ ધારણા પ્રદર્શન બાદ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરાય હતી.

જો સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય પાછો નહિ ખેંચાય તો આગામી તા. 26 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પરિવાર સાથે જશેઅને રજૂઆત કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ ઉપરાંત નર્મદા ખાતે આવેલ બીરસા મુંડા યુનિવર્સિટીમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ભરતી પ્રક્રિયામાં બેઠક અનામત નહીં રાખવાની જાહેરાત સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

#શિષ્યવૃત્તિ #MLA Anant Patel #વિરોધ પ્રદર્શન #પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ #Post-Matric Scholarship
Latest Stories
Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ...

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.