ખેડા જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી…

દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે ખેડા જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ અવિરત કાર્યરત રહેવા અને બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહેવા પ્રતિજ્ઞા લીધી હતી.

New Update
a

દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે ખેડા જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ અવિરત કાર્યરત રહેવા અને બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહેવા પ્રતિજ્ઞા લીધી હતી.

નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન બનવા સુધીની 23 વર્ષની વિકાસ યાત્રાની સફળાતાની વાતને સામાન્ય માણસ સુધી પહોંચાડવા તથા ભારતના વિકાસ માટે કટિબદ્ધ થવા રાજ્યભરમાં તા. 7થી 15 ઓક્ટોબર 2024 સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લાની તમામ શાળાઓમાં વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત ભારતના વિકાસ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જેમાંગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ પોરડા-ફાગવેલભારતી વિનય મંદિર ચકલાસીસેન્ટ મેરી સ્કૂલ નડિયાદસેન્ટ મેરી હાયર સેકન્ડરી સ્કૂલ નડિયાદસંત અન્ના હાઇસ્કુલ નડિયાદન્યુ ઈંગ્લીશ સ્કૂલ ફોર ગર્લ્સ નડિયાદબાસુદીવાલા સ્કૂલ નડિયાદશ્રી સરસ્વતી વિદ્યા મંદિર સુરાસામળસરદાર પટેલ વિનય મંદિર મહોળેલમનહર વિદ્યાલય વલેટવાજ્યોતિ હાઈસ્કુલ વડોલશાહ એમ.ડી.હાઈસ્કુલ જહેરશ્રી આર.પી.પટેલ એન્ડ સન્સ હાઈસ્કૂલ ડાકોરસંસ્કાર વિદ્યાલય નડિયાદ સહિતની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભારત વિકાસ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.